મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ
મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો
SHARE
મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો
મોરબીમાં વર્ષ ૨૦૨૪ માં ફરીયાદી પ્રભુલાલ નૌંઘણભાઈ પરમાર એ સામાવાળા ગૌતમ ખીમજીભાઈ ડાભી વિરુધ્ધ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ (ચેક રીટર્ન) અન્વયે કુલ રૂા.૯,૫૦,૦૦૦ હાથ ઉછીના વ્યવહાર અંગેની બે અલગ-અલગ ફરીયાદો દાખલ કરી હતી.
સદરહું બંને કેસ મોરબીના બીજા એડી.ચીફ જયુડી. મેજી.સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ કે.જાડેજાએ આરોપી તરફે પોતાનો યોગ્ય બચાવ રજુ કરી ઉલટ તપાસ અને ધારદાર દલીલો કરી હતી.બચાવ પક્ષે પુરવાર કર્યું હતું કે ફરીયાદીનું આરોપી પાસે કોઈ કાયદેસરનું લેણું જ નથી.નામદાર કોર્ટમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના વિવિઘ ચુકાદાઓ રજુ કરતાં નામદાર કોર્ટ દ્વારા તમામ હકીકતોને ગ્રાહ્ય રાખીને આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવેલ છે.સદરહું બંને કેસોમાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ જાડેજા, આશિષ ચાવડા તથા મહેશ સોનાગરા રોકાયેલ હતાં.