ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના દસમાથી પાંચ ડેમ ઓવરફ્લો: મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક


SHARE











મોરબી જીલ્લાના દસમાથી પાંચ ડેમ ઓવરફ્લો: મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક

મોરબી જિલ્લાની અંદર મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે જેના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે તેવામાં ડેમના કેચમેટ વિસ્તારમાં અને ડેમના ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી હાલમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં વરસાદી પાણીની આવક સ્થાનિક જળાશયોમાં થઈ રહી છે ત્યારે આજની તારીખે મોરબી જિલ્લાના ૧૦ ડેમમાથી પાંચ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે

મોરબી જીલ્લામાં પડેલા વરસાદ બાદ હાલમાં ડેમોમાં પાણીના આવક ચાલુ છે અને જિલ્લામાં આવેલા ૧૦ ડેમમાથી બંગાવડી, મચ્છુ-૧, મચ્છુ-૩, ડેમી-૧ અને ડેમી-૩ ઓવરફ્લો થઈ ગયા છે અને મચ્છુ-૩ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોવાથી તેનો એક દરવાજો હાલમાં ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી સિચાઈ વિભાગના અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં પણ ડેમોમાં નવા નીરની આવક ચાલુ જ છે અને મોરબી જિલ્લાના ૧૦ પૈકીનાં પાંચ ડેમોમાં નવા નીરની આવક થયેલ હોવાથી તે ૧૦૦ ટકા ભરાઈ ગયા છે અને દરવાજા હોય તે ડેમમાં દરવાજા ખોલીને પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે જો કે, મચ્છુ -૨ ડેમ ૬૫ ટકા ભરેલ છે, ડેમી -૨ ડેમ ૮૨ ટકા ભરેલ છે, બ્રાહ્મણી -૧ ડેમ ૩૨ ટકા ભરેલ છે, બ્રાહ્મણી -૨ માં પણ નવા નીરની આવક થયેલ છે અને ધોડાધ્રોઈ ડેમ ૭૮ ટકા ભરેલ છે






Latest News