ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કુંભારપરા રામદેવપીર મંદિરનો અગિયારમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


SHARE











વાંકાનેરમાં કુંભારપરા રામદેવપીર મંદિરનો અગિયારમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર શહેરનાં કુંભારપરા વિસ્તાર ખાતે આવેલ રામદેવપીર મંદિરનાં અગિયારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરનાં રાજવી ખાસ હાજર રહ્યા હતાં.

રામદેવપીર મંદિરનાં અગિયારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે નેજા ચડાવવાની વિધિ, આરતી, મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં જેમાં વાંકાનેર રાજવી કેસરીદેવસિંહ ઝાલા ખાસ હાજર રહ્યા હતાં ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઈ ઓઝા, અમરસિંહભાઈ મઢવી, અમિતભાઈ મઢવી, ક્રિપાલસિંહ ઝાલા હાજર રહ્યા હતાં અને મંદિરનાં પૂજારી જદુરામ મહારાજનાં હસ્તે મુખ્ય આરતી કરવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે હાજર રહ્યા હતા અને પ્રસાદ લાભ લીધો હતો આ કાર્યક્ર્મને સફળ બનાવવા રામા મંડળ પ્રમુખ નાનુભાઈ ઉઘરેજા, સોમાભાઈ રાઠોડ, રમેશભાઈ રબારી, ભીખાભાઈ સારલા સહિત વિસ્તારનાં સમસ્ત કુંભારપરા મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News