મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારથી અખંડ રામનામ જપ મહાયજ્ઞ: અખંડ જયોત સાથે નીકળશે શોભાયાત્રા


SHARE











મોરબીમાં સોમવારથી અખંડ રામનામ જપ મહાયજ્ઞ: અખંડ જયોત સાથે નીકળશે શોભાયાત્રા

દેપાળીયાના રામધામ આશ્રમ ટ્રસ્ટ દ્વારા મોરબીમાં સંત નાથાબાપા ભગતના આશીર્વાદથી તેમની નેમ પુરી કરવા અખંડ રામનામ જપ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાદરવા સુદ-૯ ને તા.૫ થી વાવડી રોડ ખાતે આવેલા ગોકુલફાર્મ હાઉસ એન્ડ પાર્ટી પ્લોટ ખાતે રામનામ જપ મહાયજ્ઞ રાખવામા આવેલ છે અને ૧૩ મહિના સુધી તે ચાલશે.

મોરબીમાં યોજાનાર અખંડ ધુન નિમિતે પંચકુંડી હનુમાનજી રૂદ્રી મહાયજ્ઞ, અખંડજયોત શોભાયાત્રા, હનુમાન ચાલીસાના પાઠ, ધ્વજાપુજન, જ્ઞાનસભા, સંત સમારોહ સ્ટેજ પ્રોગ્રામ સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ છે અને ત્યાં સવારે ૫થી બપોરના ૧ વાગ્યા સુધી મહાયજ્ઞ ચાલશે તેમજ રાજપર ગામથી અખંડ જયોત સાથે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી શોભાયાત્રા નીકળશે અને બપોરે ૧:૩૦થી ૩:૦૦ વાગ્યા સુધી હનુમાન ચાલીસા પઠન, બપોરે ૩:૩૦ થી ૬:૪૫ વાગ્યા સુધી જ્ઞાનસભા અને સાંજે ૬:૪૫ વાગ્યેથી અખંડ રામધુન પ્રારંભ થશે. ત્યારબાદ સાંજે ૭:૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે. અત્રે ઉલેખનીય છે કે, ૧૩ મહિનાની રામનામ ધુનનું આયોજન કરાયું છે. તેમાં ૬૦ ગામોમાં રામધુન મંડળને આમંત્રણ આપવામાં આવશે અને દરરોજ બે ગામ લાભ લેવા માટે આવશે તેની સાથોસાથ મોરબીની ૧૫ સોસાયટીમાંથી લોકો ત્યાં આવશે






Latest News