મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં


SHARE











મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં 
 મોરબીના બગથળા અને માણેકવાડા ગામની વચ્ચે ખેતર નજીક દવા પી જતા સાવન પ્રવીણભાઈ કાવર (27) રહે.પટેલનગર ખોડીયાર પાર્ક પાસે રવાપર રોડ મોરબીને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ તપાસ કરી હતી. જેમાં ખુલ્યુ હતું કે સાવર ટાઈલ્સ માર્કેટીંગનું કામ કરતો હોય અને ધંધો બરાબર ચાલતો ન હોય ટેન્સનમાં આવી જઈને તેણે ઉપરોકત પગલુ ભરી લીધુ હતું. !

વૃધ્ધ સારવારમાં
 ટંકારાના ઓટાળા ગામે ગોકુલ સિમેન્ટ ફેકટરીમાં કામ દરમ્યાન ઈજા થતા ગોરધનભાઈ મેઘજીભાઈ વસાવા (60) નામના વૃધ્ધને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે લખતર તાલુકાના કારેલા ગામે રહેતા ધર્મિષ્ઠાબેન મહેશભાઈ રૂપાભાઈ ધાકડીયા (15)એ કોઈ કારણસર કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.

મારામારીમાં ઈજા
 હળવદના રાતાભેર ગામે રહેતા જયદીપ નવઘણભાઈ કેરવાડીયા (16) નામના યુવાનને રાતાભેર ગામે રાતના એકાદ વાગ્યે લોખંડના સળક્ષયા વડેની મારામારીમાં ઈજા થતા સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે હળવદના સાપકડી ગામે રહેતા બળદેવભાઈ ધારાભાઈ વિઠલાપરા (36) નામના યુવાનને ઈજા થતા અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

દવા પી જતા સારવારમાં
 થાનગઢ તાલુકાના સારોડી ગામના રહેવાસી અર્ચનાબેન હરગોવિંદભાઈ નારણદાસ રામવત નામની પરણીતા કોઈ કારણોસર ખળ બાળવાની દવા પી ગયા હતા. જેથી તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે શનાળા પાસેના લાયન્સનગરમાં રહેતા અજય મંગાભાઈ ભરવાડ (40)ને ભકિતનગર ઓવરબ્રીજ નીચે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

 કચ્છ ભચાઉના તોરણીયા ગામની રાધીકાબેન શામજીભાઈ કોળી નામની 18 વર્ષની યુવતી કોઈ કારણોસર દવા પી જતા સિવીલે સારવાર માટે લાવવામાં આવી હતી. જયારે મહેન્દ્રનગર ગામના ઘનશ્યામ વાલજીભાઈ બોપલીયા (38) નામનો યુવાન પણ કોઈ કારણસર ઝેરી દવા પી જતા તેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News