મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં


SHARE







મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં 
 મોરબીના બગથળા અને માણેકવાડા ગામની વચ્ચે ખેતર નજીક દવા પી જતા સાવન પી. પટેલ (27) રહે. રવાપર રોડ મોરબીને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ તપાસ કરી હતી. જેમાં ખુલ્યુ હતું કે સાવર ટાઈલ્સ માર્કેટીંગનું કામ કરતો હોય અને ધંધો બરાબર ચાલતો ન હોય ટેન્સનમાં આવી જઈને તેણે ઉપરોકત પગલુ ભરી લીધુ હતું. !

વૃધ્ધ સારવારમાં
 ટંકારાના ઓટાળા ગામે ગોકુલ સિમેન્ટ ફેકટરીમાં કામ દરમ્યાન ઈજા થતા ગોરધનભાઈ મેઘજીભાઈ વસાવા (60) નામના વૃધ્ધને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે લખતર તાલુકાના કારેલા ગામે રહેતા ધર્મિષ્ઠાબેન મહેશભાઈ રૂપાભાઈ ધાકડીયા (15)એ કોઈ કારણસર કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.

મારામારીમાં ઈજા
 હળવદના રાતાભેર ગામે રહેતા જયદીપ નવઘણભાઈ કેરવાડીયા (16) નામના યુવાનને રાતાભેર ગામે રાતના એકાદ વાગ્યે લોખંડના સળક્ષયા વડેની મારામારીમાં ઈજા થતા સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે હળવદના સાપકડી ગામે રહેતા બળદેવભાઈ ધારાભાઈ વિઠલાપરા (36) નામના યુવાનને ઈજા થતા અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

દવા પી જતા સારવારમાં
 થાનગઢ તાલુકાના સારોડી ગામના રહેવાસી અર્ચનાબેન હરગોવિંદભાઈ નારણદાસ રામવત નામની પરણીતા કોઈ કારણોસર ખળ બાળવાની દવા પી ગયા હતા. જેથી તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે શનાળા પાસેના લાયન્સનગરમાં રહેતા અજય મંગાભાઈ ભરવાડ (40)ને ભકિતનગર ઓવરબ્રીજ નીચે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

 કચ્છ ભચાઉના તોરણીયા ગામની રાધીકાબેન શામજીભાઈ કોળી નામની 18 વર્ષની યુવતી કોઈ કારણોસર દવા પી જતા સિવીલે સારવાર માટે લાવવામાં આવી હતી. જયારે મહેન્દ્રનગર ગામના ઘનશ્યામ વાલજીભાઈ બોપલીયા (38) નામનો યુવાન પણ કોઈ કારણસર ઝેરી દવા પી જતા તેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News