મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં આમ આદમી પાર્ટીએ સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ કર્યો


SHARE











મોરબી-ટંકારામાં આમ આદમી પાર્ટીએ સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ કર્યો

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમોરબી શહેરની ટીમમોરબી જિલ્લા યુવા ટીમ તેમજ મોરબી શહેર યુવા ટીમ દ્વારા સરસ્વતી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે સરકાર યોગ્ય પગલા ભરે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરવામા આવી હતી તેમજ પેપર લીક કૌભાંડ મામલે સરકાર આશિત વોરાનું રાજીનામું લેવામા આવે તે માટે સરકારને ઈશ્વર સદબુદ્ધિ આપે તે માટે આ યજ્ઞનું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામા આવ્યું હતું આવી જ રીતે ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી  ટીમ દ્વારા આર્યવૈદિક સરસ્વતી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ટંકારા તાલુકાના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી અને પેપર લીક કૌભાંડ મામલે આશિત વોરાને પદ ઉપરથી દૂર કરવા માટે સરકારને ઈશ્વર સદબુદ્ધિ આપે તે માટે આર્યસમાજના વિદ્વવાન બ્રાહ્મણો દ્વારા આર્યવૈદિક માતા સરસ્વતીના યજ્ઞનું ટંકારામાં આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસે ત્યાં આવીને યજ્ઞ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની અટકાયત કરી હતી




Latest News