મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં સરડવા પરિવારના સ્નેહ મિલનમાં નવતર પહેલ: દસ વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહેતા દેરાણી, જેઠાણી અને સાસુનું કરાયું સન્માન


SHARE











મોરબીમાં સરડવા પરિવારના સ્નેહ મિલનમાં નવતર પહેલ: દસ વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહેતા દેરાણી, જેઠાણી અને સાસુનું કરાયું સન્માન

મોરબીના ઉમા સંસ્કારધામ ખાતે સરડવા પરિવાર સ્નેહ મિલન સમિતિ દ્વારા મોરબી શહેરમાં વસતા સરડવા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમિતિના પ્રમુખ નરભેરામભાઈ માવજીભાઈ સરડવા (એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિક) છે તેઓની મંજૂરી સાથે કાર્યક્રમ દીપ પ્રાગટય અને આરતી કરીને શરૂ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ વડીલો દ્વારા તેમના સંઘર્ષમય જીવનના અનુભવો પરથી પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પછી બાળકો દ્વારા જુદા જુદા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સરડવા પરિવાર દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સંયુક્ત કુટુંબમાં દસ વર્ષ કે તેથી વધુ સમયથી સાથે રહેતી દેરાણી, જેઠાણી તેમજ સાસુમાનું સાલ ઓઢાડીને સ્ટેજ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક પહેલ એવી પણ કરવામાં આવી હતી કે જેમાં પરિવારના કોઈ સભ્યને કોઈ આકસ્મિક મદદની જરૂર હોય ત્યારે પરિવારના સભ્યો દ્વારા શક્ય થઈ શકે તેવી સામાજિક, આર્થિક અને માનસિક રીતે જરૂરિયાત મંદ પરિવારને મદદ કરવી. આ પહેલની કાર્યક્રમમાં હાજર રહેલા પરિવારના તમામ સભ્યોએ ઉમેળકાભેર સ્વીકારી લીધી હતી. અને અંતમાં આભાર વિધિ સરડવા મણિભાઈએ કરી હતી. તો કાર્યક્રમનું સંચાલન નરેશભાઇ અને સુધીરભાઈએ કર્યું હતું.






Latest News