ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં સરડવા પરિવારના સ્નેહ મિલનમાં નવતર પહેલ: દસ વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહેતા દેરાણી, જેઠાણી અને સાસુનું કરાયું સન્માન


SHARE











મોરબીમાં સરડવા પરિવારના સ્નેહ મિલનમાં નવતર પહેલ: દસ વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહેતા દેરાણી, જેઠાણી અને સાસુનું કરાયું સન્માન

મોરબીના ઉમા સંસ્કારધામ ખાતે સરડવા પરિવાર સ્નેહ મિલન સમિતિ દ્વારા મોરબી શહેરમાં વસતા સરડવા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમિતિના પ્રમુખ નરભેરામભાઈ માવજીભાઈ સરડવા (એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિક) છે તેઓની મંજૂરી સાથે કાર્યક્રમ દીપ પ્રાગટય અને આરતી કરીને શરૂ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ વડીલો દ્વારા તેમના સંઘર્ષમય જીવનના અનુભવો પરથી પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પછી બાળકો દ્વારા જુદા જુદા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સરડવા પરિવાર દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સંયુક્ત કુટુંબમાં દસ વર્ષ કે તેથી વધુ સમયથી સાથે રહેતી દેરાણી, જેઠાણી તેમજ સાસુમાનું સાલ ઓઢાડીને સ્ટેજ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક પહેલ એવી પણ કરવામાં આવી હતી કે જેમાં પરિવારના કોઈ સભ્યને કોઈ આકસ્મિક મદદની જરૂર હોય ત્યારે પરિવારના સભ્યો દ્વારા શક્ય થઈ શકે તેવી સામાજિક, આર્થિક અને માનસિક રીતે જરૂરિયાત મંદ પરિવારને મદદ કરવી. આ પહેલની કાર્યક્રમમાં હાજર રહેલા પરિવારના તમામ સભ્યોએ ઉમેળકાભેર સ્વીકારી લીધી હતી. અને અંતમાં આભાર વિધિ સરડવા મણિભાઈએ કરી હતી. તો કાર્યક્રમનું સંચાલન નરેશભાઇ અને સુધીરભાઈએ કર્યું હતું.






Latest News