સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી


SHARE





ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી

મોરબીના જાગૃચ નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરેલ છે. જેમાં જણાવેલ છેકે, ગુજરાત એસ.ટી.માં નિયત કરતા વધારે મુસાફરોની હેરાફેરી થાય છે.આ પ્રથા ફકત ગુજરાતમાં જ છે.અન્ય રાજયમાં ઓવર એજ બસો કે ઓવરલોડ મુસાફર ભરતા નથી.અન્ય રાજયોમાં બીજી બસોની સુવિધા પણ કરવામાંં આવે છે.

ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસોને કારણે મુસાફરોની સુરક્ષા ઉપર જોખમ રહે છે જે પ્રથા બંધ કરવી જોઈએ તેમજ એસ.ટી.ના ઘણા રૂટમાં કંડકટર ચોવીસ કલાક ફરજ બજાવે છે.જેને કારણે અવાર નવાર અકસ્માત થાય છે અને એસ.ટી.ને કરોડો રૂપીયા કલેમ પેટે ચુકવવા પડે છે તે પણ વ્યાજબી નથી.જેથી કરીને ડ્રાઈવર કંડકટરને વધુમાં વધુ આઠથી દસ કલાકની નોકરી આપવી જોઈએ તેમની લાંબોરૂટ હોય તો વચ્ચમાં કોઈપણ ડેપોમાં કયુચેન આપવું જોઈએ આ પ્રથા ઘણી જુની છે.જયારે પ્રથા ચાલુ હતી.આજે સત્તત ડ્રાઈવર ચોવીસ કલાક ફરજ બજાવે છે તો તે થાકી જાય છે અને તેને સમયસર આરામ મળતો નથી અને છેલ્લે અકસ્માત થાય છે.જેમાં મહામુલી જીંદગીથી હાથ ધોઇને મુસાફર જનતાએ મોતને શરણે થવુ પડે છે અને એસ.ટી.ને કલેમ ચુકવવો પડે છે.તો નિયમનુસાર ડ્રાઈવરને છ કલાકનો આરામ મળતો નથી જેથી આવા બનાવો બને છે.આવા સૌરાષ્ટમાં ધણા રૂટ છે જેમ કે દાહોદ-ગોધરા, ધોઘંબા-મોરબી, છોટા ઉદેપુર-બારીયા, મોરબી-વેરાવળ, દીવ, કોડીનાર, ભુજ ડેપોની પણ ધણી બસો સતત ૨૦ કલાકથી વધારે ફરજ બજાવે છે જે નિગમને તથા પ્રજાને નુકશાનકારક છે.તો વહેલી તકે આવી બસોને કયુચેન આપવુ જોઈએ એવી માંગણી પી.પી.જોષીએ કરેલ છે.




Latest News