તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે કારખાનામાં ચક્કર આવ્યા બાદ પડી જતા યુવાનનું મોત


SHARE











ટંકારાના નેકનામ ગામે કારખાનામાં ચક્કર આવ્યા બાદ પડી જતા યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેકનામ ગામે હમીરપરના પાટીયા પાસે આવેલ પ્લેઝર પોલિપેક નામના કારખાનામાં કામ દરમિયાન ચક્કર આવ્યા બાદ પડી જવાથી પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

ટંકારા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ ગામે હમીરપર ગામના પાટીયા નજીક આવેલ પ્લેઝર પોલિપેક નામના કારખાનાની ઓરડીમાં રહીને ત્યાં જ મજૂરીકામ કરતો મનીષ ઇન્દ્રભાઈ પાલ નામનો ૧૮ વર્ષીય મજુર યુવાન ગઈકાલ તા.૧૬ ના અગિયારેક વાગ્યાના અરસામાં કારખાનામાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન તેની ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો અને તેને બેભાન હાલતમાં પડધરી સિવિલ ખાતે ખસેડાયો હતો.જ્યાં ફરજ ઉપરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી ટંકારા પોલીસને બનાવની જાણ કરતાં હાલ બનાવ સંદર્ભે ટંકારા પોલીસ મથકના એમ.કે.બ્લોચે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઘવાયેલા યુવાનનું સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ નઝરબાગ વિસ્તારમાં ગાંધી સોસાયટીમાં રહેતા રાહુલ પ્રેમજીભાઈ ખીમજીભાઈ બોસીયા નામના એકવીસ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો હતો.સારવાર લીધા બાદ રાહુલ બોસીયાએ પ્રકાશ વાલજી પરમાર રહે.મકનસર, રાજુ, મહેશ અને હેમંત એમ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં પ્રકાશ પરમારના પત્ની ઘરેથી જતા રહ્યા હોય તે વાતને લઈને તેઓ વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન બોલાચાલી થઈ હતી અને બાદમાં ઉપરોક્ત ચારેયએ એકસંપ કરીને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. હાલ રાહુલની ફરિયાદ ઉપરથી બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ પ્રકાશ, રાજુ, મહેશ અને હેમંત વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

 






Latest News