મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીની સબ રજીસ્ટાર કચેરીમાં ઇન્ટરનેટની કનેકટીવિટીના ધાંધિયાથી અરજદારો હેરાન


SHARE











મોરબીની સબ રજીસ્ટાર કચેરીમાં ઇન્ટરનેટની કનેકટીવિટીના ધાંધિયાથી અરજદારો હેરાન

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવા માટે અગાઉથી અરજદારો દ્વારા ટોકન લેવામાં આવતા હોય છે જોકે ટોકન લઈને લાઈનમાં ઉભેલા લોકોને કોઈને કોઈ કારણોસર હેરાન થવું પડતું હોય છે ગઈકાલે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્ટરનેટ કનેકટીવિટીના ધાંધીયા હોવાથી દસ્તાવેજ કરવા માટે આવેલા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લાલબાગમાં આવેલ સબ રજીસ્ટાર કચેરી ખાતે દસ્તાવેજ કરવા માટે લોકો આવતા હોય છે અને દસ્તાવેજ માટે થઈને લાંબી લાઈનો લાગતી હોય અગાઉથી ટોકન લીધા બાદ અરજદારો દસ્તાવેજના સમયે ત્યાં ઓફિસ આવતા હોય છે જોકે કોઈને કોઈ કારણોસર ધાંધીયા હોવાથી અરજદારોને દસ્તાવેજની કામગીરીમાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે થોડા દિવસો પહેલાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હોવાના કારણે અગાઉથી ટોકન લઈને લાઈનમાં ઉભેલા લોકોના દસ્તાવેજ થઈ શક્યા ન હતા અને લોકોને હેરાન થવું પડ્યું હતું આટલુ જ નહીં પરંતુ જે દિવસે લોકો લીધેલા ટોકન પણ બીજા દિવસે લેવા આવતા નથી જેથી કરીને લોકોને ફરી પાછા ટોકન લઈને લાઈનમાં ઉભુ રહેવું પડે તેવો ઘાટ સર્જાયો હતો 

આવી જ રીતે ગઇકાલે ગુરુવારના દિવસે સબરજિસ્ટ્રાર કચેરીમાં ઇન્ટરનેટ કનેકટીવિટીના ધાંધીયા હતા જેથી કરીને દસ્તાવેજ કરવા માટે આવેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સ્થાનિક દસ્તાવેજ કરવા માટે આવેલા અરજદારો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે સાડા દસ વાગ્યે સબ રજીસ્ટાર કચેરી ખોલવામાં આવી ત્યારથી લઈને લગભગ બાર વાગ્યા સુધી એટલે કે દોઢ કલાક સુધી ઇન્ટરનેટ કનેકટીવિટી ધાંધિયા હોવાના લીધે દસ્તાવેજની કામગીરી થઇ શકી ન હતી અને ત્યાર બાદ ઇન્ટરનેટ કનેકટીવિટી આવતાં લોકોનાં કામ થયા હતા જો કે વારંવાર આવી રીતે વીજપુરવઠો કે પછી ઇન્ટરનેટ કનેકટીવિટી ન હોવાના કારણે દસ્તાવેજ કરવા માટે આવતા લોકોને હેરાન થવું પડતું હોય છે જેથી કરીને જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી અરજદારો દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી છે






Latest News