મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટ હાઇવેનું ૧૫ દિવસમાં રિ-સર્ફેસિંગ ન થાય તો રસ્તો ચક્કાજામ કરીશ: મહેશ રાજકોટિયા


SHARE











મોરબી-રાજકોટ હાઇવેનું ૧૫ દિવસમાં રિ-સર્ફેસિંગ ન થાય તો રસ્તો ચક્કાજામ કરીશ: મહેશ રાજકોટિયા

મોરબી-રાજકોટ ફોરલેન રસ્તો બનાવવામાં આવેલ છે તે રોડનું હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી ત્યાં રોડમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે જેથી મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય અને કોંગ્રેસનાં આગેવાને હાઇવેનું રિ-સર્ફેસિંગ કરવા માટે તંત્રને ૧૫ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે  અને જો ૧૫ દિવસમાં કામ કરવામાં નહીં આવે તો રસ્તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને વધુમાં સરકારને સીધી ચેતવણી આપી છે કે, “ભાજપના ધારાસભ્યનો પત્ર કચરાપેટીમાં નાખ્યો એમ મારો પત્ર ન નાખતા નહીં તો ગાંધીનગર સુધી રેલો આવશે”.

મોરબી-રાજકોટ રાજ્ય ધોરી માર્ગની હાલત આજે મગરની પીઠજેવી થઈ ગયેલ છે. અને તેના કારણે આ રોડ ઉપરથી પસાર થતાં લાખો વાહનોને નુકશાન અને કરોડો રૂપિયાનું ઇંધણ વ્યર્થ જાય છે આટલું જ નહીં ટ્રાફિકજામ, નાના-મોટા અકસ્માતો સહિતના અનેક પ્રશ્નો છે જેથી મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય અને કોંગ્રેસનાં આગેવાન મહેશ રાજકોટિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય ઈજનેર, કાર્યપાલક ઈજનેર, જિલ્લા કલેક્ટર તથા એસ.પી. સુધી આવેદનપત્ર આપીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, જો ૧૫ દિવસમાં રાજકોટ-મોરબી હાઇવેનું રિ-સર્ફેસિંગ શરૂ નહીં થાય તો ગામલોકો અને આગેવાનો સાથે મળીને રોડ ચક્કાજામ કરીશું” વધુમાં જણાવ્યુ છે કે, મોરબીમાં વાવડી ચોકડી, પિપળીયા ચોકડી, દલવાડી સર્કલ, શનાળા, લજાઈ અને ટંકારા ચોકડીએ માસ મોટા ખાડા છે. જો કે, સ્થાનિક ભાજપ ધારાસભ્યે લેખિતમાં રજૂઆત કરી હતી તેને સરકારે કચરાપેટીમાં નાખી દીધીઅને ગૃહમંત્રી અમિત શાહ મોરબી આવ્યા હતા ત્યારે શનાળાથી કમલમ સુધીનો રોડ ચકચકિત કરી દેવાયો હતો જો કે, મોરબીથી રાજકોટ સુધીના રોડ ઉપર ઠેરઠેર ખાડા છે. જેના લીધે વાહન ચાલકો સહિતના લોકો હેરાન છે. ત્યારે લોકોના હિતને ધ્યાને રાખીને હાલમાં રજૂઆત કરવામાં આવી છે જો કે, અધિકારીઓ દ્વારા કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં રોડ ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News