મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

સમરસ પંચાયત: ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના સરપંચ પદે નયનાબા ઝાલા


SHARE











સમરસ પંચાયત: ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના સરપંચ પદે નયનાબા ઝાલા

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા મોટા ખીજડીયા ગામમાં ચૂંટણી ન યોજાઇ અને ગ્રામ પંચાયત સમરસ બને તે માટે ગામના આગેવાનો અને વડીલોએ પ્રયત્ન કરતાં હતા અને તેના ફળ સ્વરૂપે આ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે અને મોટા ખીજડીયા ગામમાં આ વખતે સરપંચ તરીકે નયનાબા ઝાલાના નામની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને રાજપૂત સમાજ તેમજ રાજપૂત કરણી સેનાના મોરબી જીલ્લાના હોદેદારો તેમજ અગ્રણીઓએ તેઓને શુભેચ્છા પાઠવી છે

હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને દરેક ગામમાં સત્તાના સોગઠાં ગોઠવવામાં આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામના વડીલો સહિતનાઓએ મળીને ગામમાં એકતા જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત સમરસ જાહેર કરી છે અને સરપંચ તરીકે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલાના ભાભી અને રાજપૂત સમાજના આગેવાન જુવાનસિંહ ઝાલાના પત્નિ નયનાબાને જવાબદારી સોપવામાં આવી છે જુવાનસિંહ ઝાલાની ગામના વિકાસ માટેની જાગૃતતા જોઈને તેઓના પત્નીને સરપંચ તરીકે લેવા આવ્યા છે અને આગામી સમયમાં ગામમાં લોકોને સાથે રાખીને લોકોની સુખકારીમાં વધારો થાય તેવા કામ કરવાનો તેઓએ કોલ આપેલ છે






Latest News