મોરબીના મહેન્દ્રનગર ગામે લોકોની મુશ્કેલીઓ જાણવા માટે કમિશ્નર સ્વપનિલ ખરે રૂબરૂ પહોચ્યા
ટંકારાના ડેમી-૨ ડેમનો 1 દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડ્યું
SHARE








ટંકારાના ડેમી-૨ ડેમનો 1 દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડ્યું
ટંકારાનાં નસીતપર ગામ પાસે ડેમી-2 ડેમ આવેલ છે તે ડેમની નીચેના ભાગમાં આવેલ ચેકડેમને ભરવા માટે સિંચાઈ વિભાગ દ્વાર આજે સવારથી ડેમનો એક દરવાજો ખોલીને પાણી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ટંકારા તાલુકામાં આવેલ ડેમી નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમો ભરવા માટે ડેમી-2 ડેમમાંથી કુલ 37 MCFT પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તા 17 ના રોજ સવારે સાડા આઠ વાગ્યાથી ડેમી-2 ડેમનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલીને ડેમી નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે અને કુલ મળીને 3517 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. તેવી માહિતી સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને આ ડેમમાંથી પાણી છોડતા પહેલા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર, મોટા રામપર તથા મોરબીના ચાચાપર, ખાનપર અને કોયલી ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા.

