વાંકાનેરના કાછીયાગાળા ગામે વીજળી પડવાથી ભેંસનું મોત થતાં માલધારીને સરકારી સહાય ચુકવાઈ
મોરબીના મહેન્દ્રનગર ગામે લોકોની મુશ્કેલીઓ જાણવા માટે કમિશ્નર સ્વપનિલ ખરે રૂબરૂ પહોચ્યા
SHARE








મોરબીના મહેન્દ્રનગર ગામે લોકોની મુશ્કેલીઓ જાણવા માટે કમિશ્નર સ્વપનિલ ખરે રૂબરૂ પહોચ્યા
મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય જાનકીબેન જીજ્ઞેશભાઇ કૈલા દ્રારા લેખીતમાં મહેન્દ્રનગર ગામે ૫ડતી મુશ્કેલીઓ બાબતે મોરબીના કમિશ્નર સ્વપનિલ ખરેને રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને કમિશ્નર સ્વપ્નિલ ખરે તથા ડેપ્યુટી કમિશ્નર સંજયભાઇ સોની મહેન્દ્રનગર ગામે આવ્યા હતા અને ગામની તેઓએ રૂબરૂ મુલાકાત લીધેલ હતી આ મુલાકાત સમયે ગામના આગેવાનો જીજ્ઞેશભાઇ કૈલા, મુકેશભાઇ ગામી, મનસુખભાઇ આદ્રોજા, મનોજભાઇ કાવર, વિરજીભાઇ કાવર, મહેન્દ્રભાઇ, રાજેશભાઇ, દિનકરભાઇ, દિલી૫ભાઇ ધોરયાણી, કેતનભાઈ બોપલિયા સહિતના ઘણા લોકો હાજર રહ્યા હતા અને ખાસ કરીને મહેન્દ્રનગર ગામના લોકોને ૫ડતી મુશ્કેલીઓ બાબતે સમીક્ષા કરી હતી અને તે મુશ્કેલીઓનું વહેલી તકે નિવારણ કરવામાં આવશે તેવુ આસ્વાસન અધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું.

