મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી-૨ ડેમનો 1 દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડ્યું


SHARE













ટંકારાના ડેમી-૨ ડેમનો 1 દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડ્યું

ટંકારાનાં નસીતપર ગામ પાસે ડેમી-2 ડેમ આવેલ છે તે ડેમની નીચેના ભાગમાં આવેલ ચેકડેમને ભરવા માટે સિંચાઈ વિભાગ દ્વાર આજે સવારથી ડેમનો એક દરવાજો ખોલીને પાણી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકામાં આવેલ ડેમી નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમો ભરવા માટે ડેમી-2 ડેમમાંથી કુલ 37 MCFT પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તા 17 ના રોજ સવારે સાડા આઠ વાગ્યાથી ડેમી-2 ડેમનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલીને ડેમી નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે અને કુલ મળીને 3517 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. તેવી માહિતી સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને આ ડેમમાંથી પાણી છોડતા પહેલા ટંકારા તાલુકાના નસીતપરનાના રામપર, મોટા રામપર તથા મોરબીના ચાચાપરખાનપર અને કોયલી ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા.






Latest News