મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો

દેશ, ગુજરાત અને સમગ્ર મોરબી જિલ્લામાં કેન્સર, બી.પી.ડાયાબીટીસ હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ દિનપ્રતિદિન વધી રહી છે,આનું કારણ તમાકુ, દારૂ,ગાંજો,ચરસ જેવા વ્યસન છે, વ્યશનના કારણે દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, કરોડો લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નશા મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરેલ હોય એમાંથી પ્રેરણા લઈ બ્રહ્મા કુમારી ૐ શાંતિ દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે બંને શાળાના ધો.6 થી 8 ના 400 જેટલા વિદ્યાર્થીઓને બ્રહ્માકુમારીના બહેનો દ્વારા વ્યશનના દુષણથી થતા નુકશાન સમજાવી પોતાના પિતા ભાઈઓને વ્યશન મુક્ત બનાવવા અપીલ કરી હતી અને વ્યશન મુક્ત રહેવા પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમજ શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ પણ પોતાની આગવી શૈલીમાં વિવિધ ઉદાહરણો દ્વારા વ્યશનથી થતા રોગો વિશે સમજ આપી વ્યશન મુક્ત અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું હતું.






Latest News