મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેરમાં સીટી પીઆઇ ઉપર ધોકા વડે હુમલો..!, પીઆઇ સારવારમાં


SHARE











મોરબીના વાંકાનેરમાં સીટી પીઆઇ ઉપર ધોકા વડે હુમલો..!, પીઆઇ સારવારમાં

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ખંભાળા ગામે પીઆઇ(પોલીસ ઇન્સ્પેકટર)  ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે..! સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પવનચક્કી બાબતે કરવા આવેલ અરજી અને પવનચક્કી ન નાંખવા દેવા બાબતના વિવાદમાં અરજીની તપાસમાં ફરીયાદીને સાથે રાખીને તપાસમાં ગયેલા પીઆઇ સરવૈયા ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવતા માથાના ભાગે ટાંકા આવતા હાલ પીઆઇને સારવારમાં લઇ જવાયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખંભાળા ગામે પવનચક્કી નાંખવાની હોય તે બાબતે અરજી આવી હતી અને ત્યાં પવનચક્કી નહીં નાંખવા બાબતે સામેના પક્ષ તરફેથી વિવાદ ચાલી રહ્યો હોય અરજીની તપાસમાં ફરિયાદીને સાથે રાખીને તપાસમાં ગયેલા પીઆઇ બી.જી.સરવૈયા ઉપર તેમજ ફરિયાદી  ઉપર સામેના પક્ષ દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદીને ઢોર માર મારવાની સાથે સાથે પીઆઇને પણ સામેના પક્ષના લોકો દ્રારા પીઆઇને માથાના ભાગે ધોકો ફટકારી દેવામાં આવતા પીઆઇ સરવૈયાને માથાના ભાગે ત્રણથી ચાર ટાંકા આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને તેમને દવાખાને દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. વધુમાં મળતી માહિતી મુજબ પોલીસ એસોર્ટના બનાવની  જાણ થતા ડીવાયએસપી દ્વારા તમામ થાણા અધિકારીઓને હાલ વાંકાનેર દોડી જવા માટે સૂચના આપવામાં આવી છે જેના પગલે વાંકાનેર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ છે અને ચોતરફ હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News