મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો ન મળતા વિજકચેરીમાં હોબાળો


SHARE















ટંકારા તાલુકામાં ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો ન મળતા વિજકચેરીમાં હોબાળો

સરકાર દ્વારા ખેડૂતોને ખેતી માટે આઠ કલાક બીજલી આપવાનું કહેવામા આવે છે જો કે, ટંકારા તાલુકામાં સતત વિજકાપથી ખેડૂતો મુશ્કેલી મુકાઈ ગયા હતા જેથી કરીને જુદાજુદા ગમન ખેડૂતો એકત્રિત થઈને વીજ કચેરીએ પહોચ્યા હતા અને અનિયમિત વીજ પુરવઠો મળતા ખેડૂતોને ખેતીમાં નુકશની થાય છે માટે નિયમિત રીતે વીજ પુરવઠો આપવા માટે નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી

ટંકારાના નાના રમાપર, કલ્યાણપર, નાના ખીજડિયા, મિતાણા સહિતના ગામોના સરપંચ અને ખેડૂતોએ રાજકીય પક્ષોના નેતાઓ ટંકારા પીજીવીસીએલ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ટંકારા સબ ડિવિઝન પીજીવીસીએલના તમામ ખેતીવાડી ફીડરમાં થ્રી ફેઇઝ પાવર અનિયમિત આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને દરરોજ દસ કલાકનો વીજ પુરવઠો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પણ આજદિન સુધી ખેડૂતોને કોઈ દિવસ દસ કલાકનો વીજ પુરવઠો મળ્યો જ નથી. જો કે દસ નહિ પણ ખેડૂતોને આઠ કલાકનો પાવર મળે તો પણ ઘણું છે. હાલમાં ખેતીવાડી ફીડરોમાં ટેકનીકલ ખામીને લીધે ખેડૂતોને દરરોજ માત્ર બે કે ત્રણ કલાક જ પાવર મળે છે. ત્યારે હાલ ખેતરોમાં પાક માટે કલાકો સુધી પિયત કરવાનું હોય બે કે ત્રણ કલકના પાવરમાં પિયત થઈ શકતું નથી. અને ખેડૂતોને નુકશાન થાય છે. ટંકારા તાલુકાના તમામ ખેતીવાડી ફીડરોમાં ૮ કલાકનો પાવર આપવાની માંગ કરી છે. અને જો પાવર નહિ મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆત

ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ રજૂઆત કરીને જીલ્લામાં ખેડૂતોને પિયતની સીઝન ચાલી રહી છે ત્યારે બીજ પુરવઠો નિયમિત રીતે આપવામાં આવે તે જરૂરી છે ત્યારે હાલમાં વીજકાપના કારણે શિયાળુ પાકનું આયોજન કરવું કે કેમ તે ખેડૂતોને સમજાતું નથી અને જે વીજકાપ આવી રહ્યો છે તેનો એક સમય નક્કી કરવામાં આવે તો ખેડૂતોનો સમય અને ખર્ચ બચે તેમ છે અને ચોમાસામાં થયેલ નુકશાનનું ગામેગામ સર્વે કરીને ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તે માટે પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માંગ કરી છે






Latest News