મોરબી નજીકના વિરપરમાં ગૌસેવાના લાભાર્થે નાટક યોજાશે
SHARE








મોરબી નજીકના વિરપરમાં ગૌસેવાના લાભાર્થે નાટક યોજાશે
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વિરપર ગામ પાસે આવેલા કામધેનુ આશ્રમ ખાતે આગામી બુધવાર અને ૨૦ તારીખે શરદ પૂનમની રાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નાટક રાત્રે ૯:૩૦ કલાકે યોજાશે આ નાટકનું આયોજન ગૌસેવા યુવક મંડળ વિરપર અને સમસ્ત ગામ દ્વારા ગૌસેવાના લાભાર્થે રાખવા આવ્યું છે અને ગામના યુવાનો દ્વારા મહાન ધાર્મિક નાટક “ખીમળીયો કોટવાળ યાને મચ્છુ તારા વહેતા પાણી” નાટક રજૂ કરવામાં આવશે. તેની સાથે લોકોને હસાવવા માટે કોમિક નાટક દામલાના ભવાડા પણ રજૂ કરવામાં આવશે તો ગૌસેવાના કર્યા માટે યોજાઇ રહેલા નાટકનો લાભ લેવા માટે કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ વિરપર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

