મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના લેન્ડ ગ્રેબિંગના ગુનામા આરોપીની આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી


SHARE











વાંકાનેરના લેન્ડ ગ્રેબિંગના ગુનામા આરોપીની આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી

વાંકાનેર શહેરમાં દુકાન પચાવી પડી હોવાથી લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો અને દુકાનના મલીકને ગાળો આપીને ધમકી આપી હતી જે કેસમાં આરોપી જલાલભાઈ વલીભાઈ પરાસરાઆગોતરા જામીન અરજી કરી હતી જો કે, ફરિયાદીના વકીલની દલીલને ધ્યાને રાખીને મોરબી સેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે

વાંકાનેરમાં ફરીયાદી રસુલ હાજીભાઈ માથકીયાએ ફરીયાદ કરેલ હતી કે, આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની વાકાનેર શહેરમાં જીનપરા મેઈન રોડ પર આવેલ સર્વે નંબર ૩૦૦૨ પૈકી ચે.ફ.ચો.મી. ૯૫-૭૮ સે.મી.ચો.વા. ૧૧૫ વાળી પાકી દુકાન સબંધના નાતે વાપરવા આપી હતી જે દુકાન આરોપીઓએ પચાવી પાડવાના આશયથી કબજો કરી લીધો હતો અને વપરાશ કરતા હતા જેથી કરીને ફરીયાદીએ આરોપીઓને આ દુકાન ખાલી કરી સોંપી આપવા જણાવતા ફરીયાદીને ગાળો બોલી મારવા દોડી એક બીજાને ગુન્હામાં મદદગારી કરેલ હતી જેથી વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વીરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ-૪(૩),૫(સી) મુજબ તથા ઈ.પી.કો કલમ ૫૦૪, ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો આ કેશના મુખ્ય આરોપીએ આગોતરા જામીન પર મુકત જવા કોર્ટમાં અરજી કરેલ હતી ત્યારે ફરીયાદીના વકીલ દીલીપ અગેચાણીયાઆગોતરા જામીન અરજી રદ કરવા વાંધા રજુ કરવા રોકાયેલ હતા આ કામે બન્ને પક્ષકારો ત૨ફેની દલીલ સાંભળી ફરીયાદી તરફના વાંધા માન્ય રાખી મુખ્ય આરોપીના આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. આ કામમાં ફરીયાદી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર રોકાયેલા હતા.

 






Latest News