મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલય દ્વારા બોર્ડનો હાઉ દૂર કરવા માટે કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રીબોર્ડ એકઝામનું આયોજન


SHARE











મોરબીની ગીતાંજલી વિદ્યાલય દ્વારા બોર્ડનો હાઉ દૂર કરવા માટે કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રીબોર્ડ એકઝામનું આયોજન

કોઈપણ વિદ્યાર્થી માટે બોર્ડની પરીક્ષાએ ખૂબ કપરી ગણાતી હોય છે અને તે પરીક્ષાનો એક પ્રકારનો હાઉ વિદ્યાર્થીના માનસ ઉપર અંકિત થઈ ગયેલો હોય છે માટે ગમે તેટલી તૈયારી કરી હોય તો પણ તે ઘણી વખત નર્વસ થઈ જતો હોય છે આવું ન થાય તે માટે મોરબીની જાણીતી ગીતાંજલી વિદ્યાલય દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રી-બોર્ડ એકઝામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોઈપણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શકશે તેવું આયોજકો દ્વારા જણાવ્યું છે.

ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ-એસએસસી તથા પ્રિ-એચએસસી પરીક્ષાનું આયોજન કરેલ છે આ પરીક્ષામાં ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપતા પહેલા બેઠક વ્યવસ્થા , રસીદ, ઉતરવહી , બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર પુરવણી વગેરે સંબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે જે આ પ્રિ-બોર્ડ પરીક્ષા દ્રારા એક બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તથા અનુભવ કેળવવા માટે ખાસ આયોજન કરેલ છે.જે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાનો ડર હોય બોર્ડ પરીક્ષા કેવી હોય, બોર્ડની પરીક્ષાનો હાઉ દુર કરવા માટે ગીતાંજલી વિદ્યાલય ખાતે આ પ્રિપરીક્ષાનુ આયોજન કરેલ છે.કોઈપણ સ્કુલમાં ભણતા ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે.આ પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીએ ફકત લીંક પર રજીસ્ટ્રેશન કરાવાનુ છે નીચેની લીંક પર રજીસ્ટ્રશન કરી આપ આ પરીક્ષા આપી શકશેઆ લીંક પર રજીસ્ટ્રેશન સાથે એક બીજો ઓપ્શન છે જેમાં આપે વોટ્સએપ નંબર પર નામ, ધોરણ, સ્કુલનુ નામ તથા વિષય લખી મોકલો તો પણ રજીસ્ટ્રેશન થઇ જશે.પરીક્ષા તા.૨૬-૨ ને રવિવારે ગીતાંજલી વિદ્યાલય વૈભવનગર સોસાયટી સ્કાયમોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.વધુ વિગતો માટે મોબાઇલ નંબર ૭૦૧૬૨ ૭૮૯૦૭ અથવા ૮૪૦૧૪ ૬૦૬૪૧ ઉરર સંપર્ક કરવા તેમજ આ પરીક્ષામાં ધોરણ ૧૦ માટે સ્ટાન્ડર્ડ ગણિત અને બેજીક ગણિત તથા ધોરણ ૧૨ કોમર્સ માટે એકાઉન્ટ, ૧૨ આર્ટસ માટે મનોવિજ્ઞાનની વિગેરે પેપરની વ્યવસ્થા કરેલ છે.

રજીસ્ટ્રેશન માટેની લીંક :

https://surveyheart.com/form/63eb70e021ac1707368a4dcf






Latest News