હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

માળિયા (મી)ના જશાપર ગામ પાસેથી નવા નીકળતા બાયપાસ રોડનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ: આક્રોશ રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







માળિયા (મી)ના જશાપર ગામ પાસેથી નવા નીકળતા બાયપાસ રોડનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ: આક્રોશ રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું

 ​​​​​માળિયા (મી)ના જશાપર ગામ પાસેથી બાયપાસ નીકળે છે જેના વિરોધમાં ખેડૂતોએ આક્રોશ રેલી યોજી હતી અને મોરબીના કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને માળિયા-પીપળિયા માર્ગ જશાપર ગામની સીમમાંથી પસાર થવાની શક્યતા છે જેથી નવા બાયપાસ રોડના જમીન સંપાદન સામે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવેલ છે. અને રોડના કામથી ખેડૂતોને બહુ જ મોટા પ્રમાણમા નુકશાન થાય તેમ છે.

હાલમાં ખેડૂતોએ જે આવેદનપત્ર આપાયું છે જેમાં જણાવ્યુ છે કે, જવાબદાર અધિકારી પાસેથી જાણવા મળ્યું છે કે, મોટીબરાર ગામ પાસે આવેલા વળાંકને ટાળવા માટે નવો રોડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. જો કે, પીપળિયા ચાર રસ્તાથી માળિયા સુધીનો જૂનો હાઇવે પહેલેથી જ અસ્તિત્વમાં છે અને તેના નવીનીકરણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને કપાતનું આંશિક વળતર જુલાઈ 2022 ના રોજ ચૂકવાઈ ગયું છે. હાલની જમીન સંપાદન અને નવા બનવા જઈ રહેલા રોડ વચ્ચે માત્ર એકાદ કિલોમીટરથી પણ ઓછું અંતર છે. અને લંબાઈમાં પણ નજીવો ફેરફાર છે જેથી જૂના રોડ ચાલુ હોવા છતાં નવો બાયપાસ કાઢવાનો કોઈ અર્થ નથી તેવી ખેડૂતોએ રજૂઆત કરી છે.

વધુમાં જસાપર ગામના ખેડૂતોએ એવી પણ રજૂઆત કરી છે કે, આ નવા પ્રોજેક્ટને કારણે ખેડૂતોની આજીવિકા પર સીધી અસર થશે. અને સંપૂર્ણપણે ખેતી પર આધારિત હોય તેવા 15 જેટલા ખેડૂતોની આસરે 101 વીઘા જમીન આ નવા બાયપાસની કપાતમાં જશે. અને જે ખેડૂતોની થોડી ઘણી જમીન રહેશે તે બિન-ઉપયોગી બની જશે. અને નવો રોડ બનાવથી વરસાદી પાણીનો ભરાવો થવાથી 500 થી વધુ વીઘા ખેતીલાયક જમીન ડૂબમાં જાય તેવી શક્યતા છે. અને ખેડૂતોની ખેતી તેમજ ખેડૂત બંને ખતમ થઈ જશે. તેવી લાગણી વ્યક્ત કરેલ છે. અને ખેડૂત ખાતેદારોની સહીઓ સાથે નવો પ્રસ્તાવિત રોડ રદ્દ કરીને તેની જગ્યાએ જૂના રોડને જ વિસ્તૃત કરવા પ્રબળ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અને જો નવો બાયપાસ રદ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને આ બાબતે કલેક્ટરે જણાવ્યુ હતું કે, માળિયા-પીપળિયા નેશનલ હાઇવેના પ્રપોઝ્ડ રોડ બાબતે જસાપરના ખેડૂતો રજૂઆત કરવા માટે આવ્યા હતા અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને ખેડૂતોની રજૂઆતથી વાકેફ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.






Latest News