મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી


SHARE







હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને આપઘાત કરી લેવાની આપી ધમકી

હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા વૃદ્ધને તેના દીકરાએ ઘરમાંથી પૈસા વાપરવા ન આપે તો ઘરેણા અને વાહનો વેચી નાખવાની તથા આપઘાત કરી લઈશ તેવી ધમકી આપી હતી તેમજ વૃદ્ધને અપશબ્દ કહ્યા હતા અને મહિલાને માર માર્યો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે પોતાના દીકરા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા છનાભાઈ કાનાભાઈ મકવાણા (63) એ તેના દીકરા પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઈ મકવાણા (24) રહે જુના ઇસનપુર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેના જણાવ્યું છે કે તેનો દીકરો તેના કહ્યામાં નથી અને ઘરેથી પૈસા વાપરવા નહીં આપે તો ઘરેણા અને વાહન વેચી નાખવાની તેમજ આપઘાત કરી લઈશ તેવી ધમકી આપતો હતો તેમજ ફરિયાદી સામે જાહેરમાં અસલીલ હરકતો કરીને અપ શબ્દો કહ્યા હતા અને જ્યોતિબેનને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં પિતાએ નોંધાવેલ કરીયાદ આધારે પોલીસે પુત્ર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News