મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે


SHARE







મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે

મોરબી તાલુકાના સોલંકીનગર વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ થયું હતું અને જે બાબતે અપહરણનો પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.જેમાં ગણતરીના દિવસોમાં તાલુકા પોલીસ દ્વારા આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહીતી મુજબ મોરબી તાલુકાના સોલંકીનગરના રહેવાસી પરિવારની સગીરવયની દીકરીનું થોડા દિવસો પહેલા અપહરણ થયું હતું.જેથી પોકસો-અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને તેમાં ભોગ બનનાર પરિવાર દ્વારા ભરત પ્રતાપભાઇ લાલવાણી સામે ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી.જેથી તાલુકા પીઆઇ ઘેટિયાએ તેની સામે ગુનો નોંધ્યો હતો અને ગણતરીના દિવસોમાં આરોપી ભરત પ્રતાપભાઈ લાલવાણી કોળી (ઉમર ૩૨) રહે. સોલંકીનગર તા.જી. મોરબી ને પકડવામાં આવ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરીને હુકમ થતા હાલ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સરદાર રોડ ઉપર સુધારા શેરીના ખૂણા પાસે પ્રફુલ ભજીયાની સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં લલીતભાઈ મહાશંકરભાઈ (ઉમર ૭૩) રહે.પારેખ શેરી મોરબી નામના વૃદ્ધને ઈજા થઈ હોય તેઓને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલા સનફોર્ડ વિટ્રીફાઈડ નામના યુનીટના લેબર કોટરમાં રહિને મજૂરી કામ કરતો રામરતન અંગદભાઈ રાઠોર નામનો ૨૬ વર્ષનો યુવાન થોડા દિવસો પહેલા લેબર કોટર ખાતે ભૂલથી એસિડનો કોગળો કરી ગયો હોય મોઢામાં બળતરા અને ઉબકા થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના શંકર આશ્રમ નજીક વીસીપરા વિસ્તારમાં રહેતા રશ્મિકભાઈ બચુભાઈ નામના ૬૦ વર્ષના વૃદ્ધને બીમારી સબબ અહિંની સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈ જવાયા હોવાનું પોલીસમાંથી જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ખાતે પ્લાયવુડના કારખાના પાસે રહેતા અને મજૂરી કામ કરતા કમલસિંગ શંકરભાઈ ઠાકુર નામનો ૪૫ વર્ષનો યુવાન પડી ગયો હતો જેથી ઇજા પામતા ૧૦૮ વડે અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી નજીક એકટીવા લઈને જઈ રહેલા ઉષાબેન હેમંતભાઈ શુક્લા રહે.ગાંધીધામ કચ્છના એકટીવાને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા ઈજા પામેલા ઉષાબેન શુક્લાને અહીંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News