મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ


SHARE







હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ

હળવદના મંગળપુર ગામની સીમમાં આવેલ ખેતરના શેઠે થાંભલા ઉભા કરવામાં આવ્યા હતા જે નડતર રૂપ હોવાથી બે મહિલાઓ તે થાંભલા કાઢવા માટે ગઈ હતી ત્યારે તેને થાંભલા કાઢવાની ના પાડ ને ગાળો આપી હતી તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્રણ લોકોને લોખંડના સળિયા અને પથ્થર વડે મારવામાં આવ્યો હતો જેથી પાંચેક વ્યક્તિઓને ઈજા થઈ હોય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના નવા વેગડવાઓ ગામે રહેતા અશ્વિનભાઈ ગોરધનભાઈ સોનાગ્રા (31) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમભાઈ છગનભાઈ કંઝારિયા, છગનભાઈ પોપટભાઈ કંઝારિયા, પ્રવીણભાઈ નરસિંહભાઈ કંઝારિયા, ચંદ્રેશભાઇ ઘનશ્યામભાઈ કંઝારિયા અને દલસુખભાઈ હેમુભાઈ કંઝારિયા રહે.બધા નવા વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના ખેતરમાં જવાના રસ્તે આરોપીના પરિવાર દ્વારા થાંભલા નાખેલા હતા જે નડતર રૂપ હોય ફરિયાદીના કાકી કાંતાબેન તથા ભાભી રમીલાબેન થાભલા કાઢવા માટે જતા તેને ગૌતમએ થાંભલા કાઢવાની ના પાડીને ગાળો આપી હતી તેમજ ગૌતમ અને છગનભાઈએ ફરિયાદીના કાકી અને ભાભી તથા ફરિયાદીના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે પ્રવીણભાઈએ ફરિયાદીના કાકા વાસુદેવભાઈને લોખંડનો સળીયો મારીને પગે ઇજા કરી હતી અને ચંદ્રેશભાઇએ ફરિયાદીને પથ્થર મારીને જમણા હાથમાં ઇજા કરેલ છે તો દલસુખભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલને લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે મારામારીના આ બનાવ સંદર્ભે અગાઉ સામા પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે હવે આ બનાવમાં વળતી ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News