મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં


SHARE







વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં

મોરબીમાં રહેતી મહિલા બાઈકમાં બેસીને વાંકાનેરમાં મામલતદાર ઓફિસ પાસે રાજકોટ રોડ ઉપરથી પસાર થઈ હતી દરમિયાન તેઓના બાઈકની આડે ગાય આવતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલાને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મોરબીમાં ગઢની રાંગ વિસ્તારમાં રહેતા મુસ્કાનબેન કાસમભાઇ સોલંકી (23) નામના મહિલા ગત તા. 25/7 ના રોજ સાંજના સમયે બાઇકમાં બેસીને વાંકાનેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ મામલતદાર ઓફિસ સામે પચ્ચીસ વારીયા જકાતનાકાથી આગળના ભાગમાં પસાર થઈ રહી હતી ત્યારે તેઓના બાઈકની આડે રસ્તા ઉપર ગાય આવી ગઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલાને ઈજા થહોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદના નવા ધનાળા ગામે રહેતા નસિંગ (22) નામના યુવાનને રાપર ગામના પાટીયા પાસે માળિયા રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

આધેડને પથ્થર માર્યો

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા બાબુભાઈ સુરાભાઈ ખાંભલા (50) નામના આધેડને સનાળા પોલીસ ચોકી નજીક ધીરુભાઈ ગઢવી નામના રીક્ષા ચાલકે પથ્થર માર્યો હતો જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી અને રીક્ષાના પેસેન્જર બાબતે બોલાચાલી ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે.






Latest News