મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE







મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકાનસર ગામ પાસેથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાનું ટાયર કોઈ કરણસર ફાટી ગયું હતું અને રીક્ષા આગળ જતી બોલેરો ગાડીમાં અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં રિક્ષા ચાલકને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ  બનાવની પોલીસને જાણ કરી હતી

મોરબીના નાનીવાવડી ગામે રહેતા પ્રવીણભાઈ ગોપાલગીરી ગોસ્વામી (38) નામનો યુવાન રીક્ષા લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકાનસર ગામ પાસે આવેલ હોન્ડાઈના શોરૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર રિક્ષાનું ટાયર ફાટ્યું હતું અને ત્યારબાદ આગળ જતી બોલેરો ગાડીમાં રીક્ષા અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ કર્યો હતો જે બનાવમાં પ્રવીણભાઈને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

મોરબીના બેલા ગામના ગેટ પાસેથી મીરા શર્મા (30) નામની મહિલા બેભાન હાલતમાં મળી આવતા તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

યુવાન સારવારમાં
મોરબીના જેતપર રોડ પાવડીયારી પાસે આવેલ કારખાનામાં ટ્રક લઈને આવેલ અશોકભાઈ ભૂરખારામ ચૌધરી (ઉંમર ૩૦) રહે.ઘોઘાણીયા જોધપુર રાજસ્થાન વાળાને પાર્કિંગ નજીક ટ્રક સાથે અકસ્માત બનાવમાં ઇજા થઈ હતી.જેથી સારવાર માટે મોરબીના જેતપર ગામે પીએચસી ખાતે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જેતપર રોડ બેલા ગામે વિરાટનગરની પાસે આવેલ કારખાના નજીક મારામારીના બનાવમાં ત્યાં રહેતા ગીરીશભાઈ ભગવતસિંહ રાજપૂત (૨૬) ને માથામાં ઇજા થઈ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના કાલિકાનગર ગામે રહેતો સબીર જાકીરહુસેન અન્સારી નામનો ૩૦ વર્ષનો યુવાન કોઈ અકળ કારણોસર તેના ઘરે અડધી બોટલ કેમિકલ પી ગયો હતો.જેથી કરીને તેને અહિંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News