મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત


SHARE







હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું છે જ્યારે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની બાજુ પાણીના ખાડામાં ડૂબી જવાથી સાડા ત્રણ વર્ષના બાળકનું મોત નીપજયું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામની સીમમાં ઘનશ્યામભાઈ કગથરાની વાડીએ રહીને મજૂરી કામ કરતો કરસનભાઈ ઉર્ફે ભૂરો રાવલીયાભાઈ કનેજ (35) નામનો યુવાન વાડી પાસેથી નીકળતી નર્મદાની કેનાલ પાસે ગયો હતો અને કેનાલમાં કોઈપણ કારણોસર પડી જવાના કારણે યુવાનને તરતા આવડતું હોય તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલે લઈ ગયા હતા અને બનાવની ઘનશ્યામભાઈ કગરા (54) રહે. ઈશ્વરનગર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રામુજી સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ભારતપ્રસાદ પટેલનો સાડા ત્રણ વર્ષનો દીકરો દેવકરણ કારખાના નજીક રોડ પાસે આવેલ પાણીના ખાડામાં ડૂબી ગયો હતો જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News