મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત

મોરબીના જેતપર ગામે ખેતીની જમીન વાવવા માટે યુવાને રાખી હતી અને તેમાં કપાસનું વાવેતર કર્યું હતું જો કે, કપાસનો પાક નબળો પડી ગયો હોવાના કારણે ખેતર વાવવા માટે રાખનાર યુવાન ચિંતા કરતો હતો દરમ્યાન તેને લાગી આવતા યુવાને વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર ગામે જયેશભાઈ અમરશીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા નયન માનસિંગભાઈ મોહનિયા (25)એ ખેતીની જમીન જેતપર ગામે વાવવા માટે થઈને રાખી હતી અને તેમાં કપાસનું વાવેતર કર્યું હતું અને કપાસનો પાક નબળો પડી ગયો હોવાની ચિંતામાં તેને લાગી આવ્યું હતું જેથી વાડીએ આવેલ પોતાની ઓરડીમાં દરવાજો અંદરથી બંધ કરીને ઓરડીમાં યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનોનું મોત નિપજ્યું હોય તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની જયેશભાઈ અમરશીભાઈ અઘારા રહે. જેતપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીની ઢુવા ચોકડી પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ભગતભાઈ જામસિંગ (26) નામના યુવાનને કારખાનામાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

માળીયા તાલુકાના ખાખરેચી ગામે રીતેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા લક્ષ્મીબેન મેસરિયાભાઈ રાઠવા (26) નામની મહિલાને વાડીએ ઝેરી જનાવર કરડી જવાના કારણે તેને સારવાર માટે જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News