મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારાના મેઘપર ઝાલા ગામે તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો

ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની જમીન માપણીનો પ્રશ્ને હતો અને આ વિવાદમાં કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવેલ છે જેથી નાના એવા ગામ અને ટંકારા તાલુકામાં ચકચાર મચી ગઇ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સોની સામે ગુનો  નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

ટંકારના મેઘપર ઝાલા ગામે રહેતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (48)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે. બંને મેઘપર ઝાલા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની વાડીની બાજુમાં મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાની વાડી આવેલ છે અને તેઓની વાડીએ જમીન માપણી કરવા માટે કર્મચારીઓ આવ્યા હતા અને માપણી પૂરી કરવામાં આવ્યા બાદ બંને આરોપીઓને સ્થળ ઉપર બોલાવેલ હતા ત્યારે તેઓ હથિયાર સાથે ત્યાં આવ્યા હતા અને જમીન માપણી બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને ફરિયાદીના ભાઈ જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (40) અને તેના દીકરા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (22)ને બંને આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ દીધા હતા જેથી ફરિયાદીના ભાઈ અને દીકરાનું મોત નીપજયું હતું ત્યાર બાદ બંનેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડરની ઘટનામાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલમાં ટંકારા પોલીસ દ્વારા ગામમાં બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને આ બનાવની જાણ થતાં રાજકીય અને સામાજિક આગેવાનો ગઇકાલે હોસ્પિટલે દોડી આવ્યા હતા. અને ટંકારાના નાના એવા મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડર કરવામાં આવતા ચકચાર મચી ગયેલ છે અને વધુમાં મળતી માહિતી મુજબ મૃતક જયપાલસિંહ ઝાલા હાલમાં ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ હતા અને તેઓની તથા તેના ભત્રીજાની છરીના ઘા ઝીકિને તેઓની જ વાડીએ હત્યા કરવામાં આવેલ છે.






Latest News