મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે ઉજવાયો માતૃ-પિતૃ પૂજન દિવસ


SHARE











મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે ઉજવાયો માતૃ-પિતૃ પૂજન દિવસ

મોરબીના સામાકાંઠે કેસર બાગ પાસે આવેલ જાણીતી સાર્થક વિદ્યામંદિર ખાતે ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે નહીં પરંતુ માતૃ-પિતૃ પૂજન દિવસ અને તે નિમિત્તે માતૃ-પિતૃ પૂજન દિવસ ઉજવાયો હતો.આજે જ્યારે સર્વત્ર પશ્ચિમી રંગથી લોકો રંગાઈ રહ્યા છે ત્યારે પોતાની ભારતીય સંસ્કૃતિને સૌ ઓળખે, જાણે અને અપનાવે તેમજ આવનારી પેઢી સમાન બાળકોમાં પણ તે સંસ્કારો ઉતરે તેવા ઉંમદા હેતુથી પશ્ચિમી અનુકરણ કરવાને બદલે દેશને સાચી સંસ્કૃતિ સમાન માતા-પિતાનું બાળકો પૂજન કરે તે હેતુથી ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ને માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે અનોખી ઉજવણી કરવાનો શિશુ મંદિર તેમજ સાર્થક વિદ્યામંદિરે ચિલો ચાતર્યો હોય અને તે મુજબ હવે અનેક શાળાઓ પણ આ પ્રકારે ઉજવણી કરતી થઈ છે ત્યારે સાર્થક વિદ્યા મંદિર ખાતે પણ માતૃ-પિતૃ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત જે વાલીઓ પોતે શાળાએ ન આવી શક્યા હોય તેવા વાલીઓ પોતાના બાળકોના દ્વારા પૂજન કરાવીને તેના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પણ શાળાને ટેગ કરી શકે તેવા પ્રકારની અપીલ કરાવીને આ મુહીમને આગળ વધારવામાં આવે તેવી અપીલ કરી હતી.શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ તથા સ્ટાફ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News