મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે બે દિવસ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે


SHARE











ટંકારાના સરાયા ગામે બે દિવસ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે


ટંકારાના સરાયા ગામે બનાવાયેલ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૨૪-૨૫ નવેમ્બરના રોજ યોજાવાનો છે જેમા ૧૧ કુંડી મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે.ટંકારાના સ્લોગન પરિવાર દ્વારા ટંકારાના સરાયા ગામે સરાયાના નેસડા રોડ ઉપર બનાવાયેલા સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ૧૧ કુંડી મહાયજ્ઞ તા.૨૪ અને ૨૫ નવેમ્બર યોજાશે.તા.૨૪ ના રોજ સવારે ૮ કલાકથી દેહશુદ્ધિ, ગણપતિ પૂજન, પુણ્યાહ વાચન, સ્થાપિત દેવ પૂજન, ગ્રહશાંતિ, જલયાત્રા, પ્રસાદ, વાસ્તુ બાદ સાંજે ૪ કલાકે શોભાયાત્રા, કુટીર હોમ અને ધાન્યાદિવાસ યોજવામાં આવશે બાદમાં સરાયા ખાતે સ્લોગન પોલીપેક પ્રા.લી. ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જ્યારે રાત્રે ૮:૩૦ કલાકે ભનજ સંધ્યામાં ભજનીક અલ્પાબેન પટેલ અને હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા રમઝટ બોલાવશે. યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી પ્રશાંતભાઈ (મોરબી) બીરાજશે.

ધ્રુવનગર ખાતે જીવામામાનો માંડવો

ટંકારાના ધ્રુવનગર ખાતે તા.૨૪ ના રોજ જીવામામાના મંદિરના લાભાર્થે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવેલ છે.જીવામામા મિત્રમંડળ દ્વારા આયોજિત આ નવરંગા માંડવામાં તા.૨૪ નવેમ્બરના રોજ સવારે ૯ કલાકે મામાદેવનું પૂજન થશે. સાંજે ૬ કલાકે ધ્રુવનગર ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને રાત્રે ૯ કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજાશે.






Latest News