મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના રફાડેશ્વરના એટ્રોસીટીના તથા ખુની હુમલાના ગુનામાં આરોપીઓના આગોતરા જામીન મંજુર


SHARE











મોરબીના રફાડેશ્વરના એટ્રોસીટીના તથા ખુની હુમલાના ગુનામાં આરોપીઓના આગોતરા જામીન મંજુર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ આ કામના આરોપીઓ સામે ફરીયાદ નોંધાવેલ કે, આ કામના ફરીયાદીના મીત્ર સાથે રફાડેશ્વરના યતીશભાઈ સાથે અગાઉ છએક દીવસ પહેલા બોલાચાલી તથા ઝઘડો થયેલ હોય તેનુ સમાધાન કરવા માટે ફરીયાદી તથા સાહેદો જતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી હથીયાર-પથ્થર તથા છરી વડે ઈજા કરેલ અને ફરીયાદીને ગાળો બોલી જ્ઞાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત કરી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજી.શ્રી મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય. જે ફરીયાદના કામેના આરોપીઓ (૧) કીશોરભાઈ મેઘજીભાઈ સુમેસરા તથા (૨) જસુબેન કીશોરભાઈ સુમેસરાનાઓ જેમની ધરપકડ થયેલ ન હોય તેઓએ તેમના મોરબી જીલ્લાના સીનીયર વકીલશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર કોર્ટમાં આગોતરા જામીન મેળવવા જામીન અરજી કરેલ.

આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. આરોપી વિરૃધ્ધ રાગદ્વેષ રાખી આ ફરીયાદમાં ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આરોપીએ આ કામના ફરીયાદીને માર મારેલ હોય કે જાતી પ્રત્યે અપમાનીત કરેલ નથી કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓ ને ધ્યાને લઈ આરોપીને જામીન પર મુકત કરવા દલીલ કરેલ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, દીવ્યા સીતાપરા, ડીમ્પલ રૂપાલા, મનીષા સોલંકી, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News