તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે બે દિવસ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે


SHARE











ટંકારાના સરાયા ગામે બે દિવસ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે


ટંકારાના સરાયા ગામે બનાવાયેલ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૨૪-૨૫ નવેમ્બરના રોજ યોજાવાનો છે જેમા ૧૧ કુંડી મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે.ટંકારાના સ્લોગન પરિવાર દ્વારા ટંકારાના સરાયા ગામે સરાયાના નેસડા રોડ ઉપર બનાવાયેલા સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ૧૧ કુંડી મહાયજ્ઞ તા.૨૪ અને ૨૫ નવેમ્બર યોજાશે.તા.૨૪ ના રોજ સવારે ૮ કલાકથી દેહશુદ્ધિ, ગણપતિ પૂજન, પુણ્યાહ વાચન, સ્થાપિત દેવ પૂજન, ગ્રહશાંતિ, જલયાત્રા, પ્રસાદ, વાસ્તુ બાદ સાંજે ૪ કલાકે શોભાયાત્રા, કુટીર હોમ અને ધાન્યાદિવાસ યોજવામાં આવશે બાદમાં સરાયા ખાતે સ્લોગન પોલીપેક પ્રા.લી. ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જ્યારે રાત્રે ૮:૩૦ કલાકે ભનજ સંધ્યામાં ભજનીક અલ્પાબેન પટેલ અને હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા રમઝટ બોલાવશે. યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી પ્રશાંતભાઈ (મોરબી) બીરાજશે.

ધ્રુવનગર ખાતે જીવામામાનો માંડવો

ટંકારાના ધ્રુવનગર ખાતે તા.૨૪ ના રોજ જીવામામાના મંદિરના લાભાર્થે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવેલ છે.જીવામામા મિત્રમંડળ દ્વારા આયોજિત આ નવરંગા માંડવામાં તા.૨૪ નવેમ્બરના રોજ સવારે ૯ કલાકે મામાદેવનું પૂજન થશે. સાંજે ૬ કલાકે ધ્રુવનગર ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને રાત્રે ૯ કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજાશે.






Latest News