મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ઝુલતો પુલ અને તેની કેટલીય દાસ્તા : માનવીય દુર્ઘટનામાં ભોગ બનેલ બાળકીનો જન્મદિવસે ઉજવાયો


SHARE











મોરબી ઝુલતો પુલ અને તેની કેટલીય દાસ્તા : માનવીય દુર્ઘટનામાં ભોગ બનેલ બાળકીનો જન્મદિવસે ઉજવાયો

મોરબીની ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટના કે જે એક માનવીય બેદરકારીની ઘટના હતી અને તેમાં અનેક લોકોએ જે જીવ ગુમાવ્યા તેને લઈને દરેકની એક અલગ સ્ટોરી થાય તેવી બીના છે.તેવી જ એક વાત મોરબીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જોવા મળી હતી કે જ્યાં એક જ પરિવારના નાની વયના દીકરો-દીકરી આ ઘટનામાં અવસાન પામ્યા હતા અને તે પૈકી દીકરીનો આજે જન્મદિવસ હોય તે વિસ્તારના લોકો દ્વારા બાળકીના ફોટા સામે કેન્ડલ પ્રગટાવીને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને નાના બાળકોને બટુક ભોજન કરાવી બાળકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા દર્શનભાઈ જોગિયાણીની દીકરી માહી (ઉમર ૭) અને ભાવેશ (ઉંમર ૪) એમ બંનેના ઉપરોક્ત ઘટનામાં મોત થયા હતા તે પૈકી માહીનો આજે તા.૨૩ ના જન્મદિવસ હોય જોટાણીયા પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તે વિસ્તારના રહેવાસીઓએ બાળકીને તસ્વીર સામે કેન્ડલ પ્રગટાવીને તેમજ ફૂલ અર્પણ કરી બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી અને બાદમાં તે વિસ્તારના બાળકોને સમૂહ બટુક ભોજન કરાવી સ્વર્ગસ્થતા બાળકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.






Latest News