વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

રાજકોટના માજી કોર્પોરેટર સાથેની છેતરપીંડીના ગુનાના એક આરોપીનો જામીન ઉ૫૨ છુટકારો


SHARE











રાજકોટના માજી કોર્પોરેટર સાથેની છેતરપીંડીના ગુનાના એક આરોપીનો જામીન ઉ૫૨ છુટકારો

રાજકોટના માજી કોર્પોરેટર સાથેની છેતરપીંડીના ગુનામાં પકડાયેલ આરોપીની જામી અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલી દલીલને ધ્યાને લઈને કોર્ટે એક આરોપીના જામીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબી સીટી એ ડીવીજન પોલીસે ફરીયાદી એવા રાજકોટના માજી કોર્પોરેટર સાથેની થયેલી કથીત છેતરપીંડીના ગુનામાં ફ૨ીયાદ દાખલ કરી હતી કે આરોપીઓએ વજે૫૨ ગામની સીમમાં આવેલ જમીનમાં ભાગીદારી કરાર કરવાનું હોવાની હકીકત જણાવી આરોપીઓએ ખોટા આધાર કાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકેનુ નામ ધા૨ણ કરી ખોટા સાક્ષી રાખીને પુર્વ આયોજીત કાવતરું રચીને આરોપીઓએ ખોટા આધારકાર્ડ બનાવડાવી ભાગીદારી કરા૨માં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી આરોપીઓએ ખાતેદાર તરીકે ખોટુ નામ દર્શાવી ખોટો ભાગીદારી કરાર કરી ફરીયાદીને જમીનમાં ભાગીદારી કરાર કરી વચન આપી વીશ્વાસ આપી ફરીયાદી પાસેથી રૂપીયા લઈ ૨કમ ઓળવી જઈ ફરીયાદી સાથે વીશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોવાની ફરીયાદના કામે આ મુજબ ગુનો નોંધી આરોપીઓની પોલીસ દ્રારા ધરપકડ કરવામા આવેલ તેમજ આરોપી દયારામભાઈ પુંજાભાઈ ડાભી ત૨ફે મો૨બી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા રોકાયેલ હતા તેનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસમાં આરોપી ત૨ફે દલીલ ક૨વામાં આવેલી કે, આરોપીનો કોઈ ગુનાહીત ઈતીહાસ નથી.આરોપીએ આવો કોઈજ પ્રકા૨નો ગુનો કરેલ નથી પોલીસે તકસીરવાન સામે ખોટો ગુનો દાખલ કરી ખોટી રીતે અટક કરેલ છે. આરોપી પાસેથી કોઈ ૨કમ રીકવ૨ ક૨વામાં આવેલ નથી.આરોપી નાસી ભાગી જાય તેમ નથી.જે તમામ હકીકત ધ્યાને લઈ જામીન ઉ૫૨ મુકત ક૨વા દલીલ કરવામાં આવેલ હતી.બંન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપી દયારામભાઈ પુંજાભાઈ ડાભીને શ૨તી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા, પ્રતીક બારોટ, દીલીપ અગેચાણીયા, જે.ડી.સોલંકી, હીતેશ પરમાર, ૨વી ચાવડા રોકાયેલા હતા.






Latest News