મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારામાં ફાસ્ટફૂડ-દુધની બનાવટના ચેકિંગ કોણ કરશે ?


SHARE











ટંકારામાં ફાસ્ટફૂડ-દુધની બનાવટના ચેકિંગ કોણ કરશે ?

ટંકારામાં ફાસ્ટફૂડ અને દુધની બનાવટમાં ઝેરી કેમિકલતો નથી પિરસાતુને ? તે જોવાની જવાબદારી કોની છે તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે ત્યારે નિયમોને ખુલ્લે આમ કોરણે મુકીને જે રીતે ધંધો કરવામાં આવે છે તે લોકોના સ્વથ્યય સાથે ચેડા કરવા જેવી ગંભીર બાબત છે 

મહાનગરોમાં વખતો વખત આરોગ્ય વિભાગની ટીમ અને ભેળસેળ વિભાગ સહિતના અન્ય અધિકારીઓ દુધ દહી કવર યુક્ત ચટણી બેકરી ડેરી અને રોડ રસ્તે લારી ગલ્લા પર નિયમોને નેવે મૂકીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નાના મોટા ધંધાથી ઉપર તવાઈ બોલાવી છે અને ધણુ ખરુ ખોટુ ખરાબ સામે આવતુ પણ રહે છે. ત્યારે ટંકારામા ખુલ્લે આમ જન આરોગ્ય સાથે ચેડા થતા હોય ફ્રુડ લાઈસન્સ કે કોઈ મંજુરી વિના એક પણ નિયમોને પાલન ન કરી સ્વાદનો ધિધ્ધકતો ધંધો ફુલયો ફાલયો છે. ટંકારામાં રંગબેરંગી ચટણી, પાણી, તેલ, લોટ, મસાલો, લચ્છી, દુધની આઈટમો સહિતના વેચાણકરતા કેટલુ ખરૂ ખોટુ કરૈ છે એની ખબર તો જવાબદાર તંત્ર આળસ ખંખેરી ઉભા થાય તો ખબર પડે આ માટે જાગૃત નાગરિકો દ્વારા જીલ્લા કક્ષાએ રજુઆત કરી છે.

ટંકારા નગરપાલિકા હોત તો સમયાંતરે આરોગ્ય સાથે ચેડા કરનારને પકડી શક્યા હોત.  સ્વભાવિક પ્રમાણે ટંકારા નગરપાલિકા ન હોય એનો અનેક રીતે ખામયાઝો શહેરીજનો ભોગવી રહ્યા છે એમાનો એક આ આરોગ્ય સાથે ચેડા નો પણ છે જો અહી નગરપાલિકા બને તો આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અને વખતો વખત ચકાસણી થાય જેથી લોકોના આરોગ્ય ઉપર ખતરો ટાળી શકાય. તોલમાપ ખાતાના અધિકારીઓ પણ વજન મળી જતા પોબારા ભણી મુકે છે? સામાન્ય રીતે પ્રતી વર્ષ વજન ઓછું અદકુ આવે છે કે કેમ એ માટે માપક યંત્રની યોગ્યતા અને ક્ષમતા નુ ચકાસણી કરવી ફરજિયાત છે એ માટે ખાનગી કોન્ટ્રેક્ટરો પણ હોય છે પરંતુ બધુ સહિ સલામત હોવાનો રાગ આલાપતા અધિકારીઓને વજન મળી જતુ હોવાનુ ખુદ વેપારી મિત્રો કહી રહા છે.






Latest News