મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ.) ગામે યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











ટંકારાના ઘુનડા (સ.) ગામે યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે યુવાને કોઈ કારણોસર ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો અને આ બનાવી ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા ઉમેશભાઈ દેવજીભાઈ ચૌહાણ (ઉંમર ૨૬) એ કોઈ કારણોસર પોતાની જાતે ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના વાંકીયા ગામે રહેતા વિક્રમસિંહ મથુરભાઈ સંગોર નામના ૩૦ વર્ષેના યુવાનનું કોઈ કારણોસર મોત નીપજત્તા તેના મૃતદેહને પીએમ માટે ગત મોડી રાત્રિના અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું અને એ ડિવિઝનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવતા મૃતકના શરીર ઉપર દેખીતા કોઈ ઈજાના નિશાન ન હતા અને ઝેરી દવા પીધી હોય તેવા પણ કોઈ લક્ષણો જણાતા ન હતા છતાં પણ મોતનું સાચું કારણ જાણવા માટે વિશેરા લઈને બનાવના કારણ જાણવા આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
 
વાહન અકસ્માતમાં ઇજા
 
ટંકારા તાલુકાના વીરવાવ ગામે રહેતા ઘનશ્યામભાઈ હેમંતભાઈ બ્રાહ્મણ નામના ૩૦ વર્ષના યુવાનને મીતાણા નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવારમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ગામે રહેતો રોહિત જગુભાઈ પરમાર નામનો ૧૧ વર્ષીય બાળક માળીયા મિંયાણા નજીક આવેલ રેલવે ફાટક પાસે હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા તથા મોરબીની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.





Latest News