સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પાડા પુલ ઉપરથી પગ લપસી જતા નીચે પડેલા વૃદ્ધનું મોત


SHARE





મોરબીના પાડા પુલ ઉપરથી પગ લપસી જતા નીચે પડેલા વૃદ્ધનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વૃંદાવન પાર્કના એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ મોરબીના પાડા પુલ ઉપર હતા ત્યારે પગ લપસી જતા પુલ ઉપરથી નીચે પડવાના કારણે તેઓને ગંભીર થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું માટે તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્કમાં એપાર્ટમેન્ટના બ્લોક નં-૭૦૧ માં રહેતા જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતેન્દ્રભાઈ બળવંતસિંહ ઠાકોર જાતે રાજપૂત (ઉંમર ૭૧) મોરબીના પાડા પુલ ઉપર રોજ ચકલીને ચણ નાખવા માટે જતા હતા અને દરમિયાન તેનો પગ લપસી જતા પુલ ઉપરથી તે નીચે પટકાયા હતા જેથી તેઓને શરીરે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક વૃદ્ધના પરિવારજનોને શોધીને પોલીસે આ બનાવવાની જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે

વાહન અકસ્માતમાં ઇજા

વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર વૃંદાવનવાટિકામાં રહેતો મુકેશ ચંદુભાઈ હાલાણી નામનો ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈને જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યારે રફાળેશ્વરથી પરત વાંકાનેર જતા સમયે મકનસર ગામે આવેલ પ્રેમજીનગર નજીક તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા પગના ભાગે ઇજાઓ થવાથી મુકેશને સારવારમાં લઇ જવાયો હતો.તેમજ હળવદના ડુંગરપુર ગામે રહેતો જયંતીભાઈ રાજાભાઈ આંકરીયા નામનો ૩૦ વર્ષનો યુવાન રફાળેશ્વર ગામેથી પરત ડુંગરપુર ગામે જતો હતો ત્યારે રફાળેશ્વર અને પાનેલી વચ્ચે માતાજીના મંદિર પાસે તેનું બાઈક સ્લીપ થતાં ઇજાઓ થવાથી તેને સારવારમાં લઈ જવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અમિત ચંદુભાઈ અગેચાણીયા નામના ૨૯ વર્ષના યુવાનને ગાંધીચોક વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માડલ ગામની સીમમાં અજીતભાઈની વાડીએ થયેલ મારામારીના બનાવમાં ત્યાં રહેતા નબાભાઈ રાયસીંગભાઈ મેડા જાતે આદિવાસી નામના ૪૫ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.




Latest News