મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં દરબારગઢ પાસે બહેનોના સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય હિંડોળા દર્શનનો લાભ લેતા હરિભક્તો


SHARE







મોરબીમાં દરબારગઢ પાસે બહેનોના સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય હિંડોળા દર્શનનો લાભ લેતા હરિભક્તો

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ બહેનોના સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન હિંડોળાના દર્શનનું આયોજન કરવું હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદ નરનારાયણ દેવ ગાદીને સલગ્ન મુળી દેશના સ્વામિનારાયણ મંદિરમાં બહેનોના વિભાગમાં હાલમાં નિજમંદિરમાં હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાંખ્ય યોગી રાજકુવરબા તેમજ ઉષાબાની પ્રેરણાથી સમગ્ર શિષ્ય મંડળ દ્વારા હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાનના ૧૨ સ્વરૂપના અલગ-અલગ હિંડોળા દર્શનનો લાભ હરિભક્તોને મળે છે અને હિંડોળા દર્શનની સાથો સાથ ત્યાં મુળી મંદિરનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હોય હિંડોળા દર્શનની સાથે હરિભક્તોને મુળી મંદિરના દર્શનનો લાભ પણ મોરબીમાં બહેનોના સ્વામિનારાયણ મંદિર ખાતે મળી રહ્યો છે હરિભક્તો દ્વારા તે દર્શનનો લાભ લેવામાં આવી રહ્યો છે અને આ હિંડોળા દર્શનનો લાભ સવારે ૮ થી ૧૨ અને સાંજે ૪ થી ૮ દરમ્યાન હરિભક્તો લઈ શકતા હોય છે ત્યારે સ્વામિનારાયણ મંદિર વિભાગના સાંખ્ય યોગીઓ દ્વારા હાલમાં મોરબી તેમજ આસપાસના વિસ્તારની અંદર રહેતા બહેનોને હિંડોળા દર્શન તેમજ મુળી મંદિરના પ્રદર્શનના દર્શન કરવા માટે થઈને ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News