વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
SHARE
વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
વાંકાનેર તાલુકામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામા આવેલ હતો દરમ્યાન જડેશ્વર મેળામાં આરોહિ અજીતભાઈ સીતાપરા (2) નામની બાળકી તેના પરિવારથી વિખૂટી પડી ગઈ હતી જેથી પરિવારથી વિખુટી પડી ગયેલ આ બાળકીના વાલીને શોધવા માટેની પોલીસે કવાયત શરૂ કરી હતી ત્યાર બાદ બાળકીના વાલીવારસને શોધી કાઢીને બાળકી તેના પિતા અજીતભાઈ રણજીતભાઈ સીતાપરા રહે. જેતપરડા તાલુકો વાંકાનેર વાળાને બાળકી સોંપી દેવામાં આવી હતી.