જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ મોરબી વાવડી ચોકડીથી પંચાસર રોડ વચ્ચે એક મહિનાથી બોલેરો કાર બની જોખમ, તંત્રની બેદરકારી સામે સવાલ હળવદના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી રોકવા સરપંચ-તલાટિએ કરી ટીડીઓ-મામલતદારને રજૂઆત  હળવદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે રાજેશકુમાર જોશીની સર્વાનુમતે વરણી મોરબી જિલ્લાના રાણેકપર ગામના ખેડૂતોને એમઆરસી કમિટીમાં ભાવ નક્કી થયા બાદ વીજપોલ-કોરિડોર સામે વળતરમાં તોતિંગ વધારો મોરબી જીલ્લામાં 10 પીઆઇની આંતરિક બદલી
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર પાસે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: રંગપર ગામે હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE





વાંકાનેરના રાણેકપર પાસે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: રંગપર ગામે હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના રાણેકપર ગામ પાસે મહાનદીના પાણીમાં કોઈપણ કારણોસર ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જ્યારે રંગપર ગામ પાસે આવેલ હોટલના રૂમની અંદર યુવાને ગળાફાંસો  ખાઈને આપઘાત કરેલ છે જેથી તે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ અમદાવાદના ધોળકા તાલુકામાં ચલોડા સુથાર ફળીના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી ગુરુકૃપા જાંબુની દુકાનની પાછળના ભાગમાં રહેતો સુકેતગીરી જીતેન્દ્રગીરી ગોસ્વામી (42) નામનો યુવાન મહાનદીના કાંઠે રાણેકપર ગામની સીમા કોઇપણ કારણોસર નદીના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનો મોત નીપજયું હતુ ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હુસેનભાઇ નૂરમામદભાઈ શેરસિયા (46) રહે. રાણેપર તાલુકો વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે જયારે વાંકાનેરના રંગપર ગામ પાસે આવેલ દ્વારકાધીશ હોટલમાં ચેતનભાઇ પબાભાઈ ગઢાદરા (20) રહે. નવાપરા વાંકાનેર વાળાએ રૂમની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી હાર્દિકભાઈ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે

મારા મારીમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે તુલસી પાર્કમાં રહેતા રવિ રામજીભાઈ મકવાણા (30) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઇલેક્ટ્રીક શૉટ

મોરબીના વીસીપરામા આવેલ કુલીનગરમાં રહેતા વાસીસ સલમાનઅલી (24) નામના યુવાનને માધાપર મેન રોડ ઉપર હતો ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News