કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડા પડતાં લોકો માટે જોખમી


SHARE







મોરબીના નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડા પડતાં લોકો માટે જોખમી

મોરબીની શાન ગણાતો નહેરૂગેઇટ ટાવર ઉપરથી થોડા દિવસો પહેલા પોપડું પડ્યું હતું અને ટાવર જર્જરીત હોવાથી લોકો માટે જોખમી બને તેમ છે જેથી કરીને કોઈના જીવ ઉપર જોખમ ઉભું ન થાય તે માટે જરૂરી સમારકામ કરવા માટે મોરબીના સામાજીક કાર્યકરોએ રજૂઆત કરેલ છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયાએ ચીફ ઓફિસર અને કલેકટર લેખિત રજુઆત કરી છે કે, નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડુ પડ્યું હતું જેમાં એક મહિલાને ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં ખસેડવામા આવી હતી અને આગામી દિવસોમાં જો આવી જ રીતે જર્જરીત ટાવરમાંથી પોપડા પડે તો કોઈનો જીવ જવાની દશેત છે જેથી કરીને યોગયા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને દેશ વિદેશમાં વખણાતા મોરબીની આન બાન શાન સમા નહેરૂ ગેઇટ હાલમાં ખંઢેર છે તેનું રીપેરીંગ કરવું અનિવાર્ય છે




Latest News