મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા ચાર  શખ્સ ૨૦૪૫૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE











મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા ચાર  શખ્સ ૨૦૪૫૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨૦૪૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગરની બાજુમાં આવેલ ઇન્દિરાનગરમાં મંગલમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા (ઉંમર ૨૫), રોહિતભાઈ કેશુભાઈ કુંવરિયા (ઉમર ૨૩), અજયભાઈ નથુભાઈ સાલાણી (ઉમર ૨૪) અને અમીત નવઘણભાઈ આંત્રેસા (ઉંમર ૨૫) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨૦૫૪૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરની ઘાંચી શેરીમાં રહેતા મકબુલભાઈ ઇસાકભાઈ સેડાત મોરબીના ખાખરાળા ગામ થી પીપળીયા ચોકડી તરફ એકટીવા લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેનું એક્ટિવા સ્લીપ થઈ જવાથી મકબુલભાઈને માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી પસાર થતા રમેશભાઈ કરસનભાઈ અગેચાણીયા (ઉંમર ૩૨) રહે. ત્રાજપર વાળા પડી ગયા હતા જેથી તેને ઇજા થઈ હતી માટે આ યુવાનને સારવારમાં પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા છે અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે






Latest News