મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિનો  કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં સતવારા જ્ઞાતિનો  કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

શ્રી સતવારા નવગામ જ્ઞાતિ-મોરબી દ્વારા આયોજિત ધોરણ ૧૦-૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું  ? તે અંગે માર્ગદર્શન આપવા મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયાના પ્રમુખ સ્થાને સેમિનાર યોજાયો હતો.

ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ ૧૦-૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું ? તે અંગે મૂંઝવણો અનુભવતા હોય છે તો તે અંગે માહિતી અને માર્ગદર્શન  માટેના આ કાર્યક્રમમાં સીવણ ક્લાસની બેહેનોની પ્રાર્થના બાદ સર્વે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સર્વે મહેમાનોનું શબ્દોથી સ્વાગત દેવેશભાઈ કંઝારિયાએ કર્યુ હતુ.આ પ્રસંગે ધોરણ ૧૦ પછી શું કરી શકાય ? તે અંગે યોગેશભાઈ કંઝારિયાએ વિસ્તૃત માહીતી આપી હતી.ત્યારબાદ ધોરણ ૧૨ પછી વિશાળ તકોની વાત શ્રી એમ.એમ સાયન્સ કોલેજના એનસીસી ઓફિસર પ્રો.ડો. શર્માએ અનેક નવી તકોની ચર્ચા કરી હતી.

ધોરણ ૧૦ પાસ કે નપાસ વિદ્યાર્થીઓ માટે સ્વરોજગારી માટે આઇટીઆઇમાં વિશાળ તકોની વાત દેવેશભાઈ કંઝારિયાએ કરી હતી, ગ્રેજ્યુએટ પછી વિશાળ તકો અંગે શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પ્રો.દંગી તથા શ્રી જી.જે.શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.ગરમોરાએ વિસ્તૃત માહિતી આપી હતી. આજના યુગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી ? તે અંગેની માહિતી જામજોધપુર કોલેજના પ્રો.ડો.સુનીતાબેન કંઝારિયાએ આપી હતી.મોરબી જિલ્લાના રોજગાર કચેરીના ચતુરભાઈ વરાણીયાએ સ્વરોજગારી નોંધણી અને ભરતી અંગે માહિતી આપી હતી તેમજ જગદીશભાઈ સોનગ્રાએ સીએ, સીએસ, સીડબલ્યુએ વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે જ્ઞાતિના અને કાર્યક્રમના પ્રમુખશ્રી ડો.લખમણભાઇ કંઝારિયાએ જણાવેલ કે વિદ્યાર્થીઓએ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઇએ, એડમિશન જ્યાં લેવું હોય તેના ફોર્મ સમયસર ભરી દેવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અત્યારથી જ કરવી જોઈએ.જે વિદ્યાર્થી મિત્રો દસ-બાર કલાક મહેનત કરતા હશે.તેઓ જરૂર સફળ થશે જ કારણ કે એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે.કાર્યક્રમના અંતમાં દરેક વક્તાઓનુ પ્રમુખના હસ્તે સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા નવગામ જ્ઞાતિના મંત્રી રમેશભાઇ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિદ્યાર્થીઓને ધોરણ ૧૦-૧૨ અને કૉલેજ પછી શું કરી શકાય. ? તે અંગેના પેમ્પલેટ વગેરે સાહિત્ય આપવામાં આવેલ.કાર્યક્રમના અંતમાં સર્વે મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થી ભાઈ-બહેનોનો કેતનભાઇ પરમારે આભાર માનેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ પરમારે કર્યુ હતુ.






Latest News