મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરૂ પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિનો  કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં સતવારા જ્ઞાતિનો  કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

શ્રી સતવારા નવગામ જ્ઞાતિ-મોરબી દ્વારા આયોજિત ધોરણ ૧૦-૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું  ? તે અંગે માર્ગદર્શન આપવા મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયાના પ્રમુખ સ્થાને સેમિનાર યોજાયો હતો.

ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ ૧૦-૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું ? તે અંગે મૂંઝવણો અનુભવતા હોય છે તો તે અંગે માહિતી અને માર્ગદર્શન  માટેના આ કાર્યક્રમમાં સીવણ ક્લાસની બેહેનોની પ્રાર્થના બાદ સર્વે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સર્વે મહેમાનોનું શબ્દોથી સ્વાગત દેવેશભાઈ કંઝારિયાએ કર્યુ હતુ.આ પ્રસંગે ધોરણ ૧૦ પછી શું કરી શકાય ? તે અંગે યોગેશભાઈ કંઝારિયાએ વિસ્તૃત માહીતી આપી હતી.ત્યારબાદ ધોરણ ૧૨ પછી વિશાળ તકોની વાત શ્રી એમ.એમ સાયન્સ કોલેજના એનસીસી ઓફિસર પ્રો.ડો. શર્માએ અનેક નવી તકોની ચર્ચા કરી હતી.

ધોરણ ૧૦ પાસ કે નપાસ વિદ્યાર્થીઓ માટે સ્વરોજગારી માટે આઇટીઆઇમાં વિશાળ તકોની વાત દેવેશભાઈ કંઝારિયાએ કરી હતી, ગ્રેજ્યુએટ પછી વિશાળ તકો અંગે શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પ્રો.દંગી તથા શ્રી જી.જે.શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.ગરમોરાએ વિસ્તૃત માહિતી આપી હતી. આજના યુગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી ? તે અંગેની માહિતી જામજોધપુર કોલેજના પ્રો.ડો.સુનીતાબેન કંઝારિયાએ આપી હતી.મોરબી જિલ્લાના રોજગાર કચેરીના ચતુરભાઈ વરાણીયાએ સ્વરોજગારી નોંધણી અને ભરતી અંગે માહિતી આપી હતી તેમજ જગદીશભાઈ સોનગ્રાએ સીએ, સીએસ, સીડબલ્યુએ વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે જ્ઞાતિના અને કાર્યક્રમના પ્રમુખશ્રી ડો.લખમણભાઇ કંઝારિયાએ જણાવેલ કે વિદ્યાર્થીઓએ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઇએ, એડમિશન જ્યાં લેવું હોય તેના ફોર્મ સમયસર ભરી દેવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અત્યારથી જ કરવી જોઈએ.જે વિદ્યાર્થી મિત્રો દસ-બાર કલાક મહેનત કરતા હશે.તેઓ જરૂર સફળ થશે જ કારણ કે એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે.કાર્યક્રમના અંતમાં દરેક વક્તાઓનુ પ્રમુખના હસ્તે સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા નવગામ જ્ઞાતિના મંત્રી રમેશભાઇ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિદ્યાર્થીઓને ધોરણ ૧૦-૧૨ અને કૉલેજ પછી શું કરી શકાય. ? તે અંગેના પેમ્પલેટ વગેરે સાહિત્ય આપવામાં આવેલ.કાર્યક્રમના અંતમાં સર્વે મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થી ભાઈ-બહેનોનો કેતનભાઇ પરમારે આભાર માનેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ પરમારે કર્યુ હતુ.






Latest News