હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર ગામે વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત


SHARE











ટંકારાના અમરાપર ગામે વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામની સીમ વિસ્તારમાં પોતાની વાડીએ કોઈ કારણોસર પટેલ યુવાને ગળેફાંસો ખાઇ લીધો હતો.જેથી કરીને તેનું મોત નીપજતાં મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે હાલમાં ટંકારા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટંકારા તાલુકાના અમરાપર ગામની સીમ વિસ્તારમાં પોતાની વાડીએ જઈને વાડીની ઓરડીમાં પોતાની જાતે ભાવેશભાઇ અમરશીભાઈ કોરીંગા જાતે પટેલ (ઉમર ૩૪) રહે. લોવાસ ટંકારા જી.મોરબીએ ગળેફાંસો ખાઇ લીધો હતો.જેથી કરીને ભાવેશભાઇ કોરીંગાનું મોત નિપજતાં મૃતદેહને ટંકારા સિવિલ ખાતે પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાંથી ટંકારા પોલીસને જાણ થતાં હાલમાં બનાવના કારણ અંગે ટંકારા પોલીસ મથકના એસ.બી.સિદ્દીકી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઘવાયેલ કાકા-ભત્રીજાને રાજકોટ ખસેડાયા

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં નજીવી વાતે સામસામે ધારીયા, પાઇપ અને છરી જેવા હથિયારો વડે જુથ અથડામણની મારામારી થઈ હતી.જેમાં ઇજાગ્રસ્તોને મોરબીની હોસ્પીટલે ખસેડાયા હતા અને જે પૈકી બેની હાલત નાજુક જણાતાં જીતેન્દ્ર મનુભાઈ પાટડીયા કોળી (૩૨) અને તેના કાકા નારણભાઈ મોહનભાઈ પાટડીયા કોળી (૬૯) રહે. બંને ત્રાજપર સામાકાંઠે મારબી-૨ વાળાઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

મહિલા સારવારમાં

મોરબીની પલક પેપર મીલના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતા માનતીબેન વિક્રમકુમાર લક્ષ્મીપ્રસાદ નામની ૨૪ વર્ષીય મહિલા ગઇકાલના કોઈ કારણોસર ઝુ મારવાનો પાઉડર પી જતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News