મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની સગીરાનું અપહરણ 


SHARE











મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની સગીરાનું અપહરણ 

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું ઘરેથી અપહરણ કરી જવામાં આવેલ છે.જે બાબતે ભોગ બનેલ પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે બે ઇસમો સામે ફરિયાદ નોંધીને અપ્હત થયેલ સગીરાને શોધવા આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે નવલખી રોડ ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિર નજીકના ધુતારી પાસે આવેલા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું તા.૪-૬ ના ૫ વાગ્યાના અરસામાં અપહરણ કરી જવામાં આવેલ છે. જેથી ભોગ બનેલ પરિવાર દ્વારા કરણ અશોકભાઈ સારલા અને વેરશી જીતેશભાઈ દેગામા રહે.બંને મકનસર તાલુકો જીલ્લો મોરબી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ પોકસો સહિતની કલમો હેઠળ કરણ અને વેરશી વિરુદ્ધ દાખલ કરેલ છે જેની આગળની તપાસ પીએસઆઇ એમ.આર.સિંધવ ચલાવી રહ્યા છે.

ગળેફાંસો ખાતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે રહેતા પરિવારના હિતેશ બાબુભાઈ દેગામા નામના ૩૭ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાવા માટેનો પ્રયાસ કર્યો હતો અને જાણ થઈ જતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તા.૫-૬  બપોરે બે વાગ્યાના અરસામાં બનાવ બન્યો હોય તે અંગે નોંધ કરી તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા બનાવના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ નજીક મારામારીના બનાવમાં ઈજા પામેલા ઈમરાન જાફરખાન પઠાણ (૪૫) રહે.સરખેજ અમદાવાદને ઇજાઓ થઈ હોય ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.






Latest News