મોરબીના શનાળા ગામે તળાવમાં મૃત્યુ પામેલા માછલીઓનો મનપા દ્વારા નિકાલ કરાયો મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારા ખાતે આદિવાસી સમાજનો ભગોરિયાનો મેળો અને સ્નેહ મિલન યોજાયુ


SHARE











ટંકારા ખાતે આદિવાસી સમાજનો ભગોરિયાનો મેળો અને સ્નેહ મિલન યોજાયુ

કાંશીરામ સાહેબનાં પ્રેરણા સ્ત્રોત, બહુજન ક્રાંતિનાં પથદર્શક દિના ભાનાજી નાં 99 મી જન્મજયંતિ પ્રસંગે યોજાયેલાં સાંસ્કૃતિક ભગોરીયા મેળા અને સ્નેહ મિલન માં પાલણપીર મેડીનાં મહંત દેશા આપાએ ખાસ ઉપસ્થિત રહીને આદિવાસી સમાજનાં ઈતિહાસ અને સંગઠનનાં મહત્વને ખુબ ઉંડાણથી સમજ આપી હતી.

બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણે ખેતમજૂરોને તમામ માંગણીઓ બાબતે સંઘર્ષમાં અને નવી રોજગારી ક્ષેત્રે કાયમ મદદરૂપ રહેવાં કટીબદ્ધ બન્યાં હતાં. વધુમાં ખેત મજૂરોને કાયમી વસવાટ અને સરકારી યોજનાઓ બાબતે જાગૃત રહેવાં પ્રેરિત કર્યા હતાં. અને ભગોરીયા મેળા અને સમિતિનાં મૂખ્ય કન્વીનર એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે મુળનિવાસી સમાજને દરેક સંજોગે સંગઠિત રહીને અવાજ બુલંદ રાખવાં પ્રેરિત કર્યાં હતાં અને કોઈપણ પ્રશ્ને કોર્ટનાં દ્વાર ખટખટાવીને પણ ન્યાય મેળવવાં અપીલ કરી હતી.

ગુજરાતભરથી પહોંચેલાં યુવાઓએ સવારનાં 11 થી સાંજનાં 7 વાગ્યાં સુધી આ રંગારંગ કાર્યક્રમ ડીજે અને દેશી ઢોલનાં તાલે મનમૂકીને નાચીને ખુબ જોરશોરથી પ્રસંગ ઉજવ્યો હતો. આ તકે ટંકારા પંથકનાં અનેક માનવતાવાદી ખેડૂતોએ પોતાનાં ખેતમજૂરોને ઉપજમાંથી ત્રીજો ભાગ આપવાની સ્વેચ્છાએ જાહેરાત કરી હતી. જેને તમામ આદિવાસી ખેતમજૂરોએ હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી






Latest News