હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત


SHARE











મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત

મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જવાનો કેનાલની બીજી બાજુનો  રોડને સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવા માટે ઇન્ટર નેશનલ હુમન રાઈટ એસો.ના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવેલ છે.  

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ એસો.ના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ઉમિયા સર્કલ જે શનાળા રોડ પર આવેલ છે. અને દલવાડી સર્કલ જે બાય પાસ રોડ પર આવેલ છે. અને તાજેતરમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનાં રોડને વનવે જાહેર કરી દેવામાં આવેલ છે જેથી હવે કોઈ વાહન ચાલકને બાયપાસ જવું હશે તો ભક્તિનગર સર્કલ થઇને જવું પડશે મોરબીમા લીલાપરથી ઉમિયા સર્કલ સુધીનો કેનાલનો બીજી બાજુ નો રોડ C.C. રોડ બનાવવામા આવેલ છે. પરંતુ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો રોડ બનાવવામાં આવ્યો નથી તેઓ આ રોડ કેમ બનાવવામાં આવેલ નથી તે એક મોટો પ્રશ્ન છે. 

થોડા વર્ષો પહેલ જયારે ગંગા જમુના એપાર્ટમેન્ટ બાજુનો રોડ જે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જાય છે. તેને ત્યારના  S.P. દ્વારા વનવે જાહેર કરવામ આવેલ હતો. પરંતુ ત્યાર બાદ આ રોડ શા માટે C.C. રોડ બનવવામાં આવ્યો નથી તેની તપાસ કરવાની જરૂર છે. હવે આ રોડની જરૂરત નથી ? વનવે જાહેર કરવામાં આવેલ હતો તે એક તપાસનો વિષય પણ છે. આ રોડ ના બનાવના કારણે ઉમિયા સર્કલ પાસે  ટ્રાફિક જામની સમસ્યા વારવાર થાય છે. જેથી કરીને આ રોડને C.C. રોડ બનાવીને લોકોની સુવિધા મા વધારે કરવામા આવે અને આ કામને તાત્કાલિક મંજુર કરવામા આવે તેવી માંગ કરેલ છે અને જો કામ કરવામાં નહીં આવે તો મોરબી ના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે. 






Latest News