મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી મનપાના કમિશનરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકો સાથે મીટીંગ યોજાઇ


SHARE











મોરબી મનપાના કમિશનરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકો સાથે મીટીંગ યોજાઇ

મોરબી મહાપાલિકામાં ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે કમિશનરની હાજરીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 સંચાલકો હાજર રહ્યા હતા અને તેઓએ અબોલજીવને રાખવા માટેની તૈયારી દર્શાવી હતી.

મોરબી મહાપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે કમિશનરના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ મિટિંગમાં નાયબ કમિશનર સંજયકુમાર સોની, પશુપાલન અધિક્ષક, હળવદ વેટેનરી ઓફિસર, ટંકારા વેટેનરી ઓફિસર, પ્રાણી રંજાડ અંકુશ શાખાના અધિકારી હાજર રહયા હતા. આ મિટિંગમાં ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના 16 સંચાલકો હાજર રહ્યા હતા. અને ગૌશાળાના સંચાલકોઓએ અંદાજીત 55 પશુ રાખવા માટેની બાહેંધરી આપી હતી, અને માર્ચ 2025 થી આજદિન સુધી કુલ 2452 પશુને મોરબી મહાપાલિકાની ટીમે પકડેલ છે. આ પશુને ટ્રેગિંગ અને આરએફઆઈડી લગાવીને મોરબી જિલ્લાના હળવદ, ટંકારા, મોરબી, વાકાનેર તાલુકાના ગૌશાળા અને પાંજરાપોળમાં કાયમી સાચવણી માટે મૂકવામાં આવ્યા છેમોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્રારા નિયમિત રીતે પશુ પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.






Latest News